SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રયે નાગોરીશાળામાં ધરણેન્દ્રશ્રીપૂજ્ય હતા. તે વખતે પર્વતિથિઓની આવી હેરાફેરી કરવાનું તેમણે કરેલું. તે વખતે સુબાજી તેમની પાસે જતા હતા પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું. બે ચારવાર તેમને શ્રી પૂજ્યના કોટવાલો તેડવા આવ્યા પણ તેમણે કહી દીધું કે અસત્ય પ્રરૂપણા થઈ માટે હું નહિ આવું. તે વખતે શ્રીમૂલચંદજી મહારાજા વગેરેને પણ ઘણું દુઃખ થયું કે આ બધું ખોટું થાય છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રીપૂજ્યોનું બળ ઘણું. તે વખતે ઉહાપોહ પણ થયેલા પણ ચાલી પડ્યું. શ્રી મૂલચંદજી મહારાજા અને સૂબાજીને એ વખતે જે કરવું પડ્યું તે બદલ બહું દુઃખ થયેલું બહુ પ્રશ્ચાતાપ થયેલો. આવી રીતે ચાલેલી પરંપરા તે સત્ય કહેવાય કે અસત્ય ? તે વિચારો. અમે જાણતા હતા કે આવી રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે. પણ અમારા મનને એમ કે શાસનમાં બધા ઠેકાણે આવશે. એમ ધારીને બળતા હૈયે કરતા હતા. આપણે સંમેલન થયું તે વખતે આ વાત કરી હતી. પણ તે વખતે તો “આ વિષય આપણા તપાગચ્છનો છે અને અહીં બીજા ગચ્છોના પણ આવેલ છે. આથી પડતી મૂકાઈ હતી. એ વાત રહી તે રહી અને બે પાંચમો આવી, એ વખતે મેં એ માટે પ્રયત્ન કરેલો અને એમાં ઉલટું ઉધું થયું. અને ઝેર રેડાયું. આથી વિચાર કર્યો કે બધાને ઠેકાણે લાવવા માટે આપણે અશુદ્ધ કરવું તે ઠીક નથી. પ્રશ્ન : પૂજ્ય શ્રી આનંદ વિમલસૂરીશ્વરજી મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે છે તે શું ? ઉત્તર : એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ? એની ભાષા જુઓ ? આપણા ગચ્છની માન્યતાથી વિરુદ્ધની ગાથાઓ આમાં છે. પણ એ બધી વાત પછી. આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જે શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું સાચું છે, એમ પૂરવાર થઈ જાય તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે ભાઈ અત્યાર સુધી અમે જે આ કર્યું તેનું પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું. પ્રશ્ન : આપે સં. ૧૯૯૨ માં સંવત્સરી શનીવારે હતી છતાં રવીવારે કરેલી એ શાથી? ઉત્તર : એ વાત તો એવી છે કે.. એ વખતે વાટાઘાટની શબ્દજાળમાં હું ઠગાયો હતો. વાતમાં હું ફસાયો, પણ મારી શ્રદ્ધા તો આ જ હતી. એથી તો મેં મારા બહારના સાધુઓને શનિવારે સંવત્સરી કરવી એ જ બરાબર છે, એમ જણાવી દીધું હતું. વળી મને કોઈએ પૂછ્યું કે પૂછાવ્યું તે બધાને મેં ભા.સુદ-૪ શનીવારે જ સંવત્સરી કરવી જોઈએ, એમ કહ્યું હતું. મેં કહેલું કે - હું બોલમાં બંધાયો છું. પણ મારી શ્રદ્ધા એ જ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy