________________
चोत्तरैव ग्राह्या उपादेयेत्ययमर्थः यदुक्तं-क्षये पूर्वा तिथिग्रह्या, वृद्धौ ग्राह्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं ज्ञेयं लोकानुसारतः ॥ १॥
क्षीणमपि पाक्षिक - चतुर्दशी लक्षणं पूर्णिमायां प्रमाणं न कार्यं तत्र तद् भोगगन्धस्याप्यसंभवात्, किन्तु त्रयोदश्यामेवेत्यर्थः । (पृ. ४)
અર્થ : તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વની જ તિથિ ગ્રહણ કરવી, અને અધિક હોય ત્યારે ઉત્તરની તિથિ ગ્રહણ કરવી.
શ્રીઉમાસ્વાતિ મહારાજાના પ્રઘોષમાં કહ્યું છે કે... ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે બીજી તિથિ ગ્રહણ કરવી, અને વીર ભગવાનનું નિર્વાણ કણ્યાણક લોક દીવાળી કરે ત્યારે કરવું.
ચૌદસના ક્ષયે પણ પૂનમે પખ્ખી કરવી પ્રમાણ નથી, કેમકે પુનમે તો ચૌદસના ભોગની ગંધ પણ નથી, પણ તેરસે જ કરવી જોઇએ.
तद्विद्वाः सत्यो न पूर्वा एव पूर्वतिथिनाम्न्य एवं भवेषुः किन्तु उत्तरसंज्ञिका अपीति भाव: (पृ. ५. )
અર્થ : ક્ષીણ તિથિ યુક્ત થઈ થકી પૂર્વની તિથિ પોતાના નામની રહે એમ નહિ, પરંતુ ક્ષીણ તિથિ સંહારક પણ બને છે.
नन्वेवं पौर्णिमासी क्षये भवतामपि का गतिरिति चेत्, अहो विचारचातुरी | यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि - विद्यमानत्वेन तस्याप्याराधनं जातमेवेति (पृ. ८)
અર્થ : વાદી શંકા કરે છે કે “તો પછી પૂનમના ક્ષયે તમારી શી ગતિ ?'' ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે કે શું તમારી વિચાર ચતુરાઇ. કેમકે તેવા પ્રસંગે તો ચૌદસના દિવસે બંને તિથિઓ વિદ્યમાન હોવાથી પૂનમનું પણ આરાધન થઇ જાય છે.
यतो ह्यस्माकमग्रेतनकल्याणकतिथि या ते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विधमान त्वादिष्टापत्तिरेवोत्तरम् (पृ. ९)
અર્થ : કારણકે અમારે તો આગલી કલ્યાણક તિથિના ક્ષયે પૂર્વની કલ્યાણક તિથિમાં બંનેની પણ વિદ્યમાનતા હોવાથી ઇષ્ટાપત્તિ જ અમારો ઉત્તર છે.
एवं हिणचउदसि तेरसि जुत्ता न दोस मा वहइ । (पृ. १४ )
અર્થ : એવી રીતે ક્ષીણ ચઉદસ-તેરસ યુક્ત લેવી દોષકારક નથી.
:
Jain Education International
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org