SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉલ્લાસ – ૩, પૃ. ૬૭) અર્થ : અષ્ટમી આદિ તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે તિથિનું આરાધન કરાય છે. પણ તે દિવસે પચ્ચખાણ વખતે તિથિ ઘડી બે ઘડી હોય છે. એટલું જ આરાધના થાય છે. પછી નોમ આદિ થવાથી સંપૂર્ણ તિથિની તો વિરાધના થઈ, પૂર્વના દિવસે હોવાથી. હવે જે પચ્ચખાણનો સમય જોઈએ તો તો પૂર્વદિવસ બને છે. પચ્ચખાણનો સમય અને સમગ્ર દિવસ હોવાથી સુંદર આરાધના થાય. તો પછી અષ્ટમી આદિ તિથિની વૃદ્ધિ હોય તો બીજે દિવસે આરાધના કરવી, કેમ કહો છો ? આ પ્રશ્ન (છે. હવે) ઉત્તર : ‘ક્ષયમાં પૂર્વતિથિ કરવી જોઈએ' – એવા શ્રી ઉમાસ્વાતિ વાચકપ્રવરશ્રીના વચનના પ્રામાણ્યથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ આગલી એટલે બીજી જ તિથિ પ્રમાણભૂત છે. (३) एकादशीवृद्धौ श्रीहीरविजयसूरीणां निर्वाणमहिमपौषधोपवासादिकृत्यं पूर्वस्यामपरस्यां वा किं विधेयमिति प्रश्नोऽत्तर- औदयिक्येकादश्यां श्रीहीरविजयसूरीनिर्वाणपौषधादि विधेयमिति । (સ્કાર - , પૃ. ૮૭) અર્થ : અગીયારસની વૃદ્ધિ હોય ત્યારે શ્રીહીરવિજયસૂરી મહારાજનો નિર્વાણમહિમા પૌધણ ઉપવાસ વગેરે કૃત્ય પૂર્વની કે પછીની અગીયારસે કરવો? આ પ્રશ્ન, હવે ઉત્તર, ઔદયિકી (અર્થાત્ બીજી) અગીયારસે શ્રીહીરવિજય સૂરીજી મહારાજાનો નિર્વાણપૌષધ વગેરે કરવો. (४) रोहिण्युपवास: पंचम्याधुपवासश्च कारणे सति मिलन्त्यां तिथौ क्रियते न वा इति प्रश्नोऽत्रोत्तरम्-कारणे सति मिलन्त्यां तिथौ क्रियते कार्यते चेति પ્રવૃત્તિર્દશ્યતે, Rvi વિના તૂવયપ્રાપ્તિીયાતિ – વોધ્યમ્ / ૪૭૦ (ફ્રાસ - ૩ પૃ. ૧૮) અર્થ : રોહીણીનો ઉપવાસ અને પંચમી આદિનો ઉપવાસ કારણ હોય તો જે તિથિમાં તે મળી જતાં હોય તેમાં કરાય કે નહિ ? પ્રશ્ન, હવે ઉત્તર : કારણ હોય તો મળતી તિથિમાં કરાય અને કરાવાય, એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તો ઉદયતિથિમાં જ કરાય એમ જાણવું. પ૯ For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy