SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલનના અવસરે એકતા મહાન કે શાસ્ત્રીય સત્ય મહાન ? ૨૦ મી સદીમાં સંધ એકતાના રૂપાળા નામ નીચે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે. યાદ રહે કે જૈનશાસનને માન્ય છે શાસ્ત્રમતિ, નહિ કે સર્વાનુમતિ = એકતા. પૂ. ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા યોગવિંશીકાની ટીકામાં ફરમાવે છે .... एकोऽपि शास्त्रनीत्या यो, वर्तते स महाजनः । किमज्ञसार्थैः शतमप्यन्धानां नैव पश्यति ॥४॥ અર્થ : એક પણ વ્યક્તિ કે જે શાસ્ત્રનીતિ પ્રમાણે વર્તે છે, તે મહાજન છે. અજ્ઞાનીઓના ટોળા વડે શું? સો આંધળા ભેગા થાય, તો પણ માર્ગને જોઈ શકતા નથી. ‘મહાજનો ચેન ગત: સ પન્થા” આ પંકિતના રહસ્યને સમજાવતાં કહેવાયેલાં ઉપરોક્ત ટંકશાળી વચનો શાસ્ત્રવિરુદ્ધ આભાસિક એકતાને રદિયો જ આપે છે. એક કાળ હતો કે જ્યારે પૂ. ઉપાધ્યાયજી મહારાજ ગ્રંથરચના કરી ગોચરી વહોરવા જતા હતા, ત્યારે બીજી બાજું એમની સત્ય પ્રરૂપણાથી જેમના કુમતો ઉઘાડા પડી જતા હતા તે યતિઓ દ્વારા તે ગ્રંથનાં પાનાંઓને સળગાવી મૂકાતાં હતાં, તે સમયે એક શ્રાવકે પૂ. ઉપાધ્યાયજી મહારાજા ઉપર પત્ર લખ્યો કે ... નાહકની અશાંતિ શા માટે કરો છો? તે વખતે પૂ.ઉપાધ્યાયજી મહારાજાએ જણાવ્યું હતું કે ...... ‘શાસનની સેવા કરતાં કરતાં અશાંતિમાં સળગી જવું એ પરમ સૌભાગ્ય છે’.... સંઘર્ષ-સંશ્લેષની વાતો કરનારાઓએ આ વાત ધ્યાનમાં લેવા જેવી છે. વળી પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ જ્ઞાનસારમાં માર્મિક ટકોર કરી છે કે ‘જો તમને એકતા અને બહુમતિ જ ઇષ્ટ હોય, તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ શા માટે ત્યાજ્ય કહો છો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy