SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) તમે લોકો આજે પણ પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં ઉદયાત્નો નિયમ બરાબર જણાવો છો, તો સંવત્સરી આદિની આરાધના વખતે (તમારા પણ પરમગુરુદેવ પૂ.આ.ભ.શ્રી. પ્રેમસૂરિ. મહારાજાની ઉદ્દયાત્ સંવત્સરી જાળવવાની સ્પષ્ટતયા લેખિત આજ્ઞા હોવા છતાં) ઉદ્દયાત્ નો નિયમ છોડવામાં (તમારા જણાવ્યા પ્રમાણે) કઈ વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે ? તે જણાવશો. (૫) તમારા મતે ‘વર્તમાનમાં એકતાની અત્યંત આવશ્યકતા છે' ઈત્યાકારક વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય તો, ઉદયાના શાસ્ત્રનિયમને સાચવીને-જાળવીને એકતા કરવાનું કેમ ઉચિત ન લાગ્યું ? જેમાં આજ્ઞાભંગાદિ દોષો સમાયેલા છે, તે ઉદયાતના શાસ્ત્રીય નિયમને છોડવાનું સૂચન કર્યું ? આચાર્યશ્રી તે પુસ્તિકાના પૃ.૧૪ ઉપર લખે છે કે ... ‘‘જન્મભૂમિ પંચાંગ તો મુંબઈના સૂર્યોદય પ્રમાણે તિથિ દર્શાવે છે. એટલે કલકત્તા, બેંગ્લોર, અમદાવાદ, જામનગર વગેરે શહેરોમાં હોય એમને તો પોતાની ઉદ્દયાત્ તિથિ છોડી દેવી પણ પડે છે ને ? (ઘણીવાર છોડવી જ પડતી હોય છે.)'' આના દ્વારા આચાર્યશ્રી ફલિત કરવા માગે છે કે .. ‘જેમ મુંબઈ સિવાયના નગરોમાં ઘણીવાર ઉદ્દયાત્ તિથિ છોડવી પડે છે, તેમ સંઘ એકતા માટે કાયમને માટે ઉદ્દયાત્ તિથિ છોડી દેવામાં વાંધો નથી’.. આ વિષયમાં આચાર્યશ્રીને એટલું જ જણાવવાનું છે કે .... હજું પણ કોઈ દરેક શહેરના પંચાંગ અલગ તૈયાર કરે અને સકલસંઘ તેને માન્ય કરે તો કોઈને પણ વાંધો હોઈ શકે જ નહિ. ઉદ્દયાત્ તિથિને છોડવાનું કહેવા કરતાં ઉદયાના શાસ્ત્રીયનિયમને અખંડ રાખવા-જાળવી રાખવા માટે જુંબેશ ઉપાડાય તો તટસ્થતા અને હિતચિંતા કહેવાય, અન્યથા નહિ ! સુજ્ઞેયુ કિં બહુના ? અને આવો નિર્ણય કરવા જો તમે તૈયાર થઈને તમારા પક્ષે રહેલા આચાર્યાદિને તમે તૈયાર કરી શકો તો, આ પક્ષનો સાથ તમને જરૂર મળી રહેશે. તે વખતે બે તિથિપક્ષ તરફથી ‘આ તો એકતિથિપક્ષે શરૂઆત કરી છે, એને અમે ટેકો નહિ આપીએ’ – એવું વલણ નહિ અપનાવવામાં આવે, એટલું ખાસ નોંધી રાખશો. વળી તમે લોકોએ ‘એકતા’ ના રૂપાળા નામ નીચે ૨૦૪૨ માં ‘ઉદયાત્' ના શાસ્ત્રીય નિયમને છોડયો, ત્યારે જન્મભૂમિ પંચાંગને અમાન્ય નહોતું કર્યું ! બેતિથિપક્ષને સત્ય જ માનતા હતા, કે જે જન્મભૂમિ પંચાંગગત આવતી પર્યાપર્વ તિથિઓની ક્ષય Jain Education International ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy