SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ એકતા આભાસિક છે = ભાવથી અસત્ય છે. અહીં પ્રારંભમાં તિથિના વિષયમાં શાસ્ત્રના આધારે વિચારણા કરીશું અને તે તે વિષયમાં ચાલતા કુતર્કોની સમાલોચના કરીશું. જૈન શાસનમાં તિથિઓનું મહત્ત્વ ઘણું આંકવામાં આવ્યું છે. પક્ષી, ચોમાસી, સંવત્સરી, જ્ઞાનપંચમી આદિની આરાધના કરવાની હોય, ત્યારે તે તે નિયતતિથિએ જ કરવાનું વિધાન છે. વર્ષમાં વિશિષ્ટ આરાધના કરવાના દિવસો ઘણા આવે છે, એથી જ સવારે ઉઠીને અદ્ય ા તિથિ: ? વિં ત્યાળમ્ ? આજે કઈ તિથિ છે અને ક્યું કલ્યાણક છે ? એની વિચારણા કરવાની છે. આજે કઈ તિથિ છે અને ક્યું કલ્યાણક છે, એ જાણવા માટે અને એ તિથિનો નિર્ણય કરવા પંચાંગ જોઈએ. જૈન ટિપ્પણા (પંચાંગ) નો વિચ્છેદ થયો હોવાથી ઘણા સમયથી આપણે લૌકિક ટિપ્પણા (પંચાંગ) ના આધારે જ તિથિનો નિર્ણય કરીએ છીએ. એથી સકલ સંઘમાન્ય ‘જન્મભૂમિ’ પંચાંગમાં બતાવેલ ઔદયિક તિથિની આરાધના કરવી જોઈએ અને જ્યારે જ્યારે તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે એ પંચાંગમાં બતાવેલ તિથિની ક્ષય-વૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને જ તિથિનિર્ણય અને તિથિ આરાધના કરવી જોઈએ. તિથિનો ક્ષય આવતાં તેની આરાધના પૂર્વની તિથિમાં કરવાનો અને તિથિની વૃદ્ધિ આવતાં તેની આરાધના પહેલી છોડીને બીજી તિથિમાં કરવાનો ‘ક્ષયે પૂર્વાં. વૃદ્ધૌ ઉત્તરા.' વાળા પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનો પ્રસિદ્ધ પ્રઘોષ છે. પ્રશ્ન : જૈન ટીપ્પણાનો વિચ્છેદ થતાં લૌકિક ટિપ્પણાનો સ્વીકાર ક્યારથી થયો ? ઉત્તર : તેરમા-ચૌદમા સૈકાના ગ્રંથો સ્પષ્ટપણે જૈનટીપ્પણું વિચ્છેદ પામ્યું હોઈ અજૈન ટીપ્પણાનો સર્વસૂરિવરોએ સ્વીકાર કર્યો હોવાની ઐતહાસિક સાક્ષી પૂરે છે. એથીય આગળ વધતાં અગ્યારમા સૈકામાં પૂનમિયા વગેરે ગચ્છોની નિર્મિતિ થઈ ત્યારે પણ આ મુદ્દો મહત્ત્વનો બની રહ્યો હતો અને એથીય પૂર્વ આપણી દૃષ્ટિ માંડીએ તો પ્રાયઃ પૂ. વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પૂર્વેથી લૌકિક ટીપ્પણાનો સ્વીકાર થયો હશે, એમ સમજાય છે. લગભગ છેલ્લા ૪૦૦ વર્ષથી સકલસંઘ ચંડાશુંચંડુ લૌકિક પંચાંગને માનતો હતો. તે પંચાંગને બદલવા માટે શ્રીસકલસંઘ ઘણા સમયથી વિચારતો હતો. સં. ૨૦૧૪ માં તે પંચાંગના સ્થાને સકલ તપાગચ્છ સંઘે સર્વસંમતિથી જન્મભૂમિ પંચાંગનો સ્વીકાર કર્યો છે. અહીં યાદ રહે કે ‘જન્મભૂમિ' પંચાંગ મુંબઈના સૂર્યોદય પ્રમાણે તિથિઓ Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy