SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ દિવસે બધા સાથે સંવત્સરી કરે એમાં જ યુગપ્રધાન શ્રી કાલિકસૂરિ મહારાજે સ્વ-પર બધાનું કલ્યાણ જોયું છે' - આવું કોઈ કારણ નહોતું. પરંતુ શાલિવાહન રાજા જૈન ધર્મનો ઉપાસક હતો. તેના રાજ્યમાં ઈન્દ્રમદ પર્વ ઉજવાતો હતો. તે પર્વ જૈનોનો નહોતો અજૈન લોકોનો હતો. તે પર્વમાં લોકો જોડાતા હતા, રાજાને પણ લોકાનુરોધથી જોડાવું પડતું હતું. રાજા જૈન હતો, તેથી તેની આરાધના ન સીદાય એ લક્ષ્ય હતું. આવી અવસ્થામાં પોતાની આરાધના માટે પૂ. કાલિકસૂરિ મ. ને ભાદરવા સુદ – છઠ્ઠની સંવત્સરી રાખવા વિનંતી કરી હતી. પૂ. કાલિકસૂરિ મહારાજે છઠ્ઠમાં શાસ્ત્રવચનનું સમર્થન મળતું ન હોવાથી નિષેધ કર્યો અને ચોથ રાખવામાં શાસ્ત્રવચન સાથે બાધ આવતો નહોતો, અને ભગવાને પોતાના કેવલજ્ઞાનના પ્રકાશમાં જે ફેરફાર થવાનો હતો તે અંતિમ દેશનામાં જણાવ્યો હતો - ઈત્યાદિ કારણોસર સંવત્સરીની ચોથે પરાવૃત્તિ કરી. (૨) તે કાળે બધા લોકો ભાદરવા સુદ-૫ ની સંવત્સરીના કારણે અલગ-અલગ દિવસે સંવત્સરી નહોતા કરતા, અને તેના કારણે સંક્લેશ નહોતો, કે જેથી પૂ. કાલિકસૂરિ મહારાજને એકતા કરવા ચોથ પ્રવર્તાવી પડે આથી આચાર્યશ્રીઅભયશેખરસૂરિજીની વાત તદ્ન હકીકત વિરુદ્ધ છે. અર્જનો સાથે તો એકતા કરવાનો પ્રશ્ન જ નહોતો ને ? (૩) પ્રવચન પરીક્ષામાં પાક્ષિક પ્રતિક્રમણ (પાણી) ચતુર્દશી (ચૌદસે) જ નિયત છે, એમ સ્પષ્ટ કહ્યું છે. આથી જ પૂ. કલિકાલ સર્વજ્ઞશ્રીએ પૂનમીયા ગચ્છની પૂનમે પાખી કરવાની વાતને શરત મૂકીને ઉડાડી દીધી હતી, તે હેજે સમજી શકાય તેવી વાત છે. (૪) આ. અભયશેખર સૂરિજીએ પોતાની પૂસ્તિકાના પૃષ્ઠ ૭-૮ ઉપર પૂ. કાલિકસૂરિ મહારાજના પ્રસંગની જે વાતો – દલીલો – કુતર્કો કર્યા છે. તે તદ્દન વાહીયાત છે, તે આગળના શાસ્ત્રપાઠો અને શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના અંશો જેવાથી સમજી શકાશે. (૫) પ્રવચન પરીક્ષામાં જણાવ્યા પ્રમાણે ભા. સુદ – ૪ ની સંવત્સરી પાંચમા આરાના અંત સુધી નિયત રહેશે. તેમાં ફેરફાર કરી શકાય જ નહિ. કારણકે પાંચમા આરામાં શાસન ચોથમાં સમાયું છે. અને તેથી તે સિદ્ધાંત છે. આથી સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે... (૧) પાંચમા આરાના અંત સુધી સંવત્સરી ભાદરવા સુદ-ચોથે જ રહેશે. ૯૩ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001750
Book TitleTithi Ange Satya ane Kutarkoni Samalochna
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherNareshbhai Navsariwala Mumbai
Publication Year2000
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, Principle, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy