SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] (સ્થાપના અને પ્રાભૂતિકા દોષનું સ્વરૂપ–) સાધુના માગવાથી સાધુ માટે દૂધ, દહીં વગેરે રાખી મૂકવામાં આવે તે સ્થાપના દોષ છે. પ્રાકૃતિકા દોષના ઉષ્ણ અને અવણ એમ બે ભેદ છે. તે બંનેના સૂક્ષ્મ અને બાદ૨ એમ બે બે ભેદ છે. આથી પ્રાકૃતિકાના સૂક્ષ્મ ઉષ્કણ, સૂક્ષ્મ અવષ્વણ, બાદર ઉષ્મણ, બાદર અવણ એમ ચાર ભેદ છે. ઉણ એટલે ધારેલું કાર્ય જ્યારે કરવાનું હોય તેનાથી મોડું કરવું. અવણ એટલે ધારેલું કાર્ય જ્યારે કરવાનું હોય તેના કરતાં વહેલું કરવું. સૂક્ષ્મ એટલે થોડું. બાદ૨ એટલે ઘણું. થોડું મોડું કરવું તે સૂક્ષ્મ ઉજ્વણ, થોડું વહેલું કરવું તે સૂક્ષ્મ અવષ્વણ. ઘણું મોડું કરવું તે બાદર ઉર્ધ્વણ. ઘણું વહેલું કરવું તે બાદર અવષ્વણ. [ રૂ (૧) સૂક્ષ્મ ઉણ- સૂત કાંતતી સ્ત્રી બાળક ખાવાનું માગે ત્યારે બાજુમાં સાધુને વહોરવા આવેલા જોઈને બાળકને સાધુ આવશે ત્યારે આપીશ એમ કહે અને સાધુ આવે ત્યારે આપે. અહીં બાળકને આપવાનું કાર્ય સાધુ નિમિત્તે થોડું મોડું કરવાથી સૂક્ષ્મ ઉર્ધ્વણ દોષ લાગે. (૨) સૂક્ષ્મ અવણ- સૂતર કાંતતી સ્ત્રી સાધુ વહોરવા આવવાથી ઊભી થઈને સાધુને વહોરાવે અને ફરી ન ઉઠવું પડે એ માટે બાળકને પણ ખાવાનું આપે. અહીં બાળકને આપવાનું કાર્ય સાધુ નિમિત્તે થોડું વહેલું કરવાથી સૂક્ષ્મ અવણ દોષ લાગે. (૩) બાદલ ઉર્ધ્વષ્વણ- સમવસરણ વગેરેમાં (સાધુઓ આવવાના હોવાથી) સુપાત્ર દાનનો લાભ મળે એ દૃષ્ટિએ વિવાહાદિનો પ્રસંગ ધારેલા સમયથી મોડો કરે. (૪) બાદર અવષ્કણ- સાધુઓ વિહાર કરી જશે એમ જાણીને સુપાત્રદાનનો લાભ મળે એ દૃષ્ટિએ વિવાહાદિનો પ્રસંગ ધારેલા સમયથી વહેલો કરે. પ્રાભૂત એટલે ભેટછું. આ દોષ કુતિની ભેટ સમાન હોવાથી તેનું પ્રાકૃતિક એવું નામ છે. .[૪૬] नी अदुवारंधारे, गवक्खकरणाइ पाउकरणं तु । दव्वाइएहिँ किणणं, साहूणट्ठाऍ कीअं तु ॥ ७४७ ॥ वृत्ति:- 'नीचद्वारान्धकारे' गृहे भिक्षाग्रहणाय ' गवाक्षकरणादि', आदिशब्दात्प्रदीपમળ્યાવિવગ્રિહ:, ‘પ્રાતુર્ળ 'મિતિ પ્રજાશરણં । ‘દ્રવ્યાિિમ:' દ્રવ્યમાનૈ: ‘જ્યાં સાધ્વર્થે'સાધુનિમિત્તે ‘ઋતમે 'વિતિ ગાથાર્થ: ॥ ૭૪૭ || (પ્રાદુષ્કરણ અને ક્રીત દોષનું સ્વરૂપ–) ઘરનું બારણું નીચું હોય વગેરે કા૨ણે ઘરમાં અંધારું હોય તો સાધુઓ અંધારામાં ભિક્ષા ન ૧. ઉત્સવ વગેરે પ્રસંગે અનેક સાધુઓ એકઠા થાય તેને શાસ્ત્રની ભાષામાં સમવસરણ કહેવામાં આવે છે. ૨. સૂક્ષ્મપ્રાકૃતિકામાં બાળકને આપ્યા પછી સચિત્ત પાણીથી હાથ ધોવા વગેરેમાં જીવહિંસા વગેરે દોષો છે. મોડું આપવામાં બાળકને અંતરાય, સંતાપ વગેરે થાય. બાદરપ્રાકૃતિકામાં વિવાહાદિ પ્રસંગ વહેલો-મોડો કરવામાં પ્રસંગમાં જોઈતા સાધનો લાવવાની વ્યવસ્થા વહેલી-મોડી કરવી પડે, તેમાં અધિક જીવ હિંસાદિ થાય, ઘરના બધા માણસોને તે ઈષ્ટ ન હોય, વિવાહાદિમાં સામો પક્ષ તેમ કરવામાં રાજી ન હોય છતાં કરવું પડે વગેરે અનેક દોષો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy