SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પચ્ચકખાણનો પ્રારંભ કરનાર અને અંત કરનાર એ બંને દિવસ જે પચ્ચકખાણમાં ભેગા થાય તે પચ્ચકખાણને કોટિસહિત કહે છે.” આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જેમાં બે છેડા ભેગા થાય તે પચ્ચકખાણ કોટિસહિત છે. કેવી રીતે? આ રીતે- સવારે પ્રતિક્રમણમાં ઉપવાસનું પચ્ચખાણ લીધું, અહોરાત્ર ઉપવાસ કરીને ફરી પણ (બીજા દિવસે સવારે) ઉપવાસનું પચ્ચખાણ લે. અહીં બીજા ઉપવાસનો પ્રારંભ અને પ્રથમ ઉપવાસનો અંત છે. આ બંને (પ્રારંભ અને અંત રૂપ) સરખાછેડા એક સમયે ભેગા થયા તે કોટિસહિત. એ પ્રમાણે આયંબિલ, નિવિ, એકાસણ અને એકલઠાણમાં પણ જાણવું. (અર્થાત્ બે આયંબિલ ભેગા કરે તો કોટિસહિત પચ્ચકખાણ થાય વગેરે જાણવું.) અઠમ વગેરેમાં બે રીતે કોટિસહિત છે. કારણ કે છેલ્લા દિવસની પણ એક કોટિ છે. (એક તરફ પૂર્ણતા રૂપ કોટિ અને બીજી તરફ ત્રીજા ઉપવાસના પ્રારંભ રૂપ કોટિ એ બેના મળવાથી બે રીતે કોટિ સહિત પચ્ચખાણ થાય.) અથવા આ બીજો પ્રકાર છે- ઉપવાસ કર્યો, પારણે આયંબિલ કર્યું, ફરી ઉપવાસના પારણે આયંબિલ કર્યું, તો તે પણ કોટિસહિત પચ્ચક્ખાણ થાય, એ પ્રમાણે એકાસણ વગેરેથી પણ સંયોગ કરવો, અર્થાત્ લાગલગાટ ઉપવાસના પારણે એકાસણ કરે વગેરે રીતે પણ કોટિસહિત પચ્ચખાણ થાય. એ રીતે નિવિ વગેરે બધા સમાન અને અસમાન પચ્ચક્ખાણો વિષે જાણવું. અહીં સંખનામાં તો આયંબિલનો અધિકાર છે. [૧૫૭૬] . इत्थमसंलेखनायां दोषमाह देहम्मि असंलिहिए, सहसा धाऊहिं खिज्जमाणेहिं । जायइ अट्टज्झाणं, सरीरिणो चरमकालम्मि ॥ १५७७ ॥ વૃત્તિ - “હે મíરિવ' સતિ “સદા થતુંfમ: ક્ષયમ:' માંસપિ “નાયતે 'आर्तध्यानम्' असमाधिः 'शरीरिणः 'चरमकाले' मरणसमय इति गाथार्थः ।। १५७७ ॥ विहिणा उ थेवथेवं, खविज्जमाणेहिं संभवइ णेअं । __ भवविडविबीअभूअं, इत्थ य जुत्ती इमाणेआ॥१५७८ ॥ वृत्तिः- 'विधिना तु' शास्त्रोक्तेन 'स्तोकस्तोकं क्षीयमाणैर्धातुभिः 'सम्भवति नैतद्'आर्तध्यानं, 'भवविटपिबीजभूतमेतद्, अत्र युक्तिरियं ज्ञेया'ऽसम्भवे इति गाथार्थः ।। १५७८ ।। सइ सुहभावस्स तहा, थेवविवक्खत्तणेण नो बाहा । जायइ बलेण महया, थेवस्सारंभभावाओ ॥ १५७९ ॥ वृत्तिः- 'सदा शुभभावस्य तथा' तेन संलेखनाप्रकारेण 'स्तोकविपक्षत्वेन' हेतुना 'न बाधा जायते', कुत इत्याह-'बलेन महता' शुभभावेन तेन 'स्तोकस्य' दुःखस्य ‘મારામાવાતિ નાથાર્થ: 1 ૨૫૭૨ || ૧. પચ્ચકખાણ ભાષ્યમાં કોટિસહિત પચ્ચકખાણનાં સમ અને વિષમ એમ બે પ્રકાર જણાવ્યા છે. ઉપવાસ પૂર્ણ થતાં ફરી ઉપવાસ કરવો, આયંબિલ પૂર્ણ થતાં ફરી આયંબિલ કરવું વગેરે સમ કોટિસહિત પચ્ચકખાણ છે. ઉપવાસ પૂર્ણ થતાં આયંબિલ વગેરે કરવું, આયંબિલ પૂર્ણ થતાં ઉપવાસ વગેરે કરવું વગેરે વિષમ કોટિસહિત પચ્ચકખાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy