SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન કેટલાંક અનુમાન કરી શકાય : (૧) આ૦ નિયુક્તિગત ઉપયુક્ત ૨૭ જેટલાં ઉદાહર ની સૂચિ જોતાં એવું અનુમાન કરી શકાય કે નિયુક્તિ પૂર્વેના કાળમાં આ અંગે વિચારણું શરૂ થઈ ચૂકી હતી, જે નિયુક્તિમાં સંગ્રહઈ છે. (૨) આવશ્યક નિયુક્તિમાં મૌરવત્તિ અને વૈનાનાં ઉદાહરણની સૂચિ આપતી ગાથાઓ નથી, જે નંદિમાં છે. આથી એમ માનવું પડે કે એ ઉદાહરણે નિયુક્તિ પછીના કાળમાં અસ્તિત્વમાં આવ્યાં હશે. આમ છતાં એવું પણ અનુમાન કરી શકાય કે, જે નિયુક્તિના કાળમાં Ms અને વારિવામિનાં અનેક ઉદાહરણે પ્રચલિત હોય તો મીત્તા અને વૈચિક્કીનું એક પણ ઉદાહરણ અસ્તિત્વમાં ન હોય તે સંભવિત નથી. આથી એમ માનવું પડે કે, એ કાળમાં પણ ઉક્ત બને બુદ્ધિઓનાં ઉદાહરણે અસ્તિત્વમાં હશે. પર તુ આ નિયુકિતમાં એની સૂચિ આપતી ગાથાઓ ક્યારેક લુપ્ત થઈ હશે. (૩) આ નિયુકિતમાં વારિબાપનાં ૧૫ ઉદાહરણની સૂચિ આપતી બે ગાથાઓ છે, જ્યારે નંદિમાં એ બે ગાથાઓ ઉપરાંત રાજીઆદિ સાત ઉદાહરણે આપતી બીજી ગાથા પણ છે. 29 આથી એમ કહી શકાય કે નિયુકિત અને નંદિ વચ્ચેના ગાળામાં કેટલાંક અન્ય ઉદાહરણ પણ ઉમેરાયાં છે. (૪) ઔત્પત્તિકીનાં મસત્ર, આદિ ૩૯ ઉદાહરણોની સૂચિ આપતી ત્રણ ગાથાઓ નંદિમાં ઉલ્લેખાઈ છે, તેમાં પ્રથમ અને દ્વિતીય બન્ને ગાથાઓ માસિક થી શરૂ થાય છે, 30 અર્થાત્ મઢસત્ર ઉદાહરણનું પુનરાવર્તન થયું છે. આથી એવું અનુમાન કરી શકાય કે માસિસ, mય આદિ ૧૭ ઉદાહરણો અને મfમ, fમંત્ર આદિ ૧૨ ઉદાહરણ આપતી ગાથાઓ ભિન્ન ભિન્ન ગ્રંથમાંથી કે પરંપરામાંથી સંગ્રહાઈ હશે. હરિભદ્રીય વૃત્તિવાળા નંદિસૂત્રના સંપાદકે પણ અહીં જ મહસિત્ર તળિયા આદિ અને મહરિ, મિંઢ આદિને સંખ્યાક્રમ તંત્ર આપ્યો છે, સળગ નહિ, એ વિગત પણ ઉક્ત ધારણાનું સમર્થન કરે છે. મલયગિરિએ પ્રથમ પ્રાપ્ત થતાં મરમિઠ ઉદાહરણમાં રેહક પિતાની સાવકી માતાને પિતાના તરફ સારા વતનવાળી બનાવે છે તે કથાનક અને શિક્ષામંડપવાળું થાનક એક સાથે આપ્યાં છે. જ્યારે શ્રી ચન્દ્રસૂરિરચિત ટિપનકમાં બન્ને ઉદાહરણે જુદાં જુદાં છે.31 (૫) નંદિમાં મહરિ, વળિય. પછી મહસિ ક્રૂિઢ૦ ગાથાને કેમ છે, જ્યારે વિ, ભાષ્યમાં આ ક્રમ ઉલટો છે38 આથી એમ માનવું પડે કે જિનભદ્રની નજર સમક્ષના નંદિસૂત્રમાં માસિસ્ટ, વિંદ ગાથા પ્રથમ હશે, જ્યારે વર્તમાન નંદિસૂત્રમાં પ્રાપ્ત થતા ક્રમ જિનભદ્રના કાળ પછી ક્યારેક અસ્તિત્વમાં આવ્યા. હશે. હરિભદ્રીય વૃત્તિ અને મલયગિરીય વૃત્તિવાળાં નંદિસૂત્રોમાં ઉક્ત ગાથા ક્રમ સરખો છે, પરંતુ મલયગિરિએ કથાનકમાં જિનભદ્રસંમત ક્રમ અપનાવ્યા છે, કારણ કે તેમણે પ્રથમ મfસત્ર, પ્રિઢ આદિ ૧૨ ઉદાહરણે સંક્ષેપમાં સમજાવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy