SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જનસંમત જ્ઞાનચર્ચા (૨) દશનની લૌકિક-અલૌકિકતા અને પ્રત્યક્ષતા-પરોક્ષતા - વૈદિક, જૈન અને બૌદ્ધ ત્રણેય પરંપરા માને છે કે, ઇન્દ્રિયજન્ય દર્શને લૌકિક છે, જ્યારે અતીન્દ્રિયદર્શન અલૌકિક છે.30 1 જૈન પરંપરા મતિવ્રુતને પરમાતપક્ષ અને અતીન્દ્રિય ત્રણ જ્ઞાનને પરમાર્થાત: પ્રત્યક્ષ માને છે, તેથી ચક્ષુ-અચક્ષુદર્શન પરમાત: પક્ષ છે, અને અવધિ દર્શન-કેવલદર્શન પરમાતઃ પ્રત્યક્ષ છે, જ્યારે વેદિક અને બૌદ્ધ પરંપરા દશન (નિવિકલ્પ પ્રત્યક્ષ)ને પ્રત્યક્ષ જ માને છે.30 8 (૩) દશનની ઉત્પાદક સામગ્રી :-લૌકિક દર્શનોની ઉત્પાદક સામગ્રીમાં વિઘય અને ઇન્દ્રિયોનો સન્નિપાત આવશ્યક છે, જ્યારે અલૌકિક દશની ઉત્પાદક સામગ્રી માં માત્ર આત્મશક્તિ આવશ્યક છે. આ બાબતમાં જૈનેતર દર્શનમાં શાંકર વેદાન્તને બાદ કરતાં કરશે મતભેદ નથી. શાંકરદાત અનુસાર તત્વમસિ આદિ મહાવાક્યજન્ય અખંડ બ્રહ્મબોધ નિવિકલ્પ છે. તેથી દશનની ઉપાદક સામગ્રીમાં શબ્દાદિ પણ છે.369 (૪) બૌદ્ધ પરંપરામાં જ્ઞાન-દર્શન આદિ શબ્દો:-(૧) બૌદ્ધ પરંપરામાં દર્શન શબ્દ અન્દ્રિય અને અતીન્દ્રિય બને અર્થમાં છે. અલબત્ત, મોટે ભાગે જ્ઞાનદર્શન શબ્દ પૂર્ણ મુક્તિ અને ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શનને વાચક છે. 10 જેને જૈનસંમત કેવલજ્ઞાન-કેવલદર્શન સાથે સરખાવી શકાય. (૨) બૌદ્ધસમત યથાભૂત જ્ઞાન-દર્શનના અર્થ વસ્તુને યથાર્થ જ્ઞાન-દર્શન છે,311 જેને જેનસંમત સમ્યફ જ્ઞાન-દર્શન સાથે સરખાવી શકાય. (૩) બૌદ્ધ812 અને જેન બને પરંપરામાં જ્ઞાળz-qસ શબ્દો એન્દ્રિય–અતીન્દ્રિય જ્ઞાન-દર્શન માટે પ્રયોજાયા છે. (૪) બૌદ્ધદર્શનમાં વિર્ય શબ્દ અતીન્દ્રિય અર્થને વાચક છે,818 જેને જેનસંમત અવધિદર્શન-કેવલદર્શન સાથે સરખાવી શકાય. (૮) મિથાજ્ઞાન : (ક) અર્થ-અજ્ઞાનના બે અર્થ છે : જ્ઞાનને અભાવ અને મિથ્યાજ્ઞાન. જ્યારે જ્ઞાનનું આવરણ હોય છે ત્યારે જ્ઞાનાભાવ હોય છે. પરંતુ જ્યારે જ્ઞાનવરણને ક્ષચોપશમ હોય અને સાથે સાથે મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોય ત્યારે મિથ્યાજ્ઞાન હોય છે. અહીં મિથ્યાજ્ઞાનની વિચારણું અભિપ્રેત છે. (બ) ભેદ :–જેનપરંપરામાં મિથ્યાજ્ઞાનની વિચારણા બે રીતે થયેલી જોવા મળે છે : મત્યાદિ ત્રણ જ્ઞાનના સંદર્ભમાં અને પ્રમાણુના સંદર્ભમાં. મત્યાદિ ત્રણ જ્ઞાનના સંદર્ભમાં મિથ્યાજ્ઞાનના, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એમ ત્રણ ભેદો છે. જ્યારે પ્રમાણના સંદર્ભમાં સંશય, વિપર્યય અને અધ્યવસાય એમ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy