SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શાન-દશન-મિશ્યારાન અને વ્યવહારનય સાથે સરખાવી શકાય (૧૧) મwારવતી સા-આકારવતી શ્રદ્ધા દર્શનમૂલિકા છે અને તેને અથ” “કારણ તેમજ સ્વાનુભવ ઉપર આધારિત શ્રદ્ધા છે, જેને જેનસંમત સ દર્શનના કારણે થયેલા જ્ઞાન સાથે સરખાવી શકાય કીથનું માનવું છે કે, શ્રદ્ધા એ સાચા જ્ઞાનનું મૂલ છે, પ્રસ્તુત માન્યતાનું સમર્થન તત્વાર્થમાં મળે છે. 7 (૧૨) તત્તવોરાન્સપ્ટ બોર્મંગ એ જ્ઞાન માટેનાં સાત કારણે છે8 : (૧) કૃતિ (સતત જાગરુકતા), (૨) ધનવિય (સત્યજિજ્ઞાસા, (૩) વીર્ય (ધમભ્યાસમાં ઉત્સાહ), (૪) વીતિ (એકાગ્રતાજનિત ચિત્તને આદુલાદ), (૫) પ્રવિ (ચિત્તની પરમ શાન્તિ), (૬) સમાધિ (અકંપ્ય એકાગ્રતા) અને (૭) ૩ઘેલા (ચિત્તમાં સુખદુઃખને અભાવ), આ સાત અંગેને સિદ્ધ કરવાથી જ પરમજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જૈનદર્શન પણ પરમજ્ઞાનની પ્રાપ્તિ માટે ધ્યાન આદિને સ્વીકાર બૌદ્ધદશનમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ અને મનોવિજ્ઞાનને પૃથફ સ્વીકાર્યા 1 0 ૦ છે, જૈનદશને તે બન્નેને અંતર્ભાવ મતિજ્ઞાનમાં કર્યો છે. (ખ) વૈદિકરશનસમત શાનો : ન્યાય-વૈશેષિક દર્શનશાનના ભેદોને બુદ્ધિમાં અંતભૂત માને છે જેમ કે, બુદ્ધિના બે ભેદ છેવિદ્યા અને અવિદ્યા. વિદ્યાના ચાર ભેદ છેઃ પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ અને આર્ષજ્ઞાન, અવિદ્યાના પણ ચાર ભેદ છે : સંશય, વિપર્યય, અધ્યવસાય અને સ્વ. 101 ઉક્ત વિદ્યા અને અવિદ્યાને અનુક્રમે જેનસંમત જ્ઞાન અને મિયા જ્ઞાન સાથે સરખાવી શકાય. ન્યાય-વૈશેષિકે અને જેન તાર્કિકે સ્મૃતિને પ્રત્યક્ષથી ભિન્ન માને છે, જ્યારે આગમિક પરંપરા તેને અંતર્ભાવ ધારણામાં કરે છે ન્યાય-વૈશેષિક સંમત આણ્વજ્ઞાનને જૈનસં મત કેવલજ્ઞાન સાથે સરખાવી શકાય. ન્યાય-વૈશેષિક અને જૈન પરંપરા સંશય, વિપર્યય અને અન- : વ્યવસાયને મિથ્યાજ્ઞાન માને છે. ન્યાય-વૌશેષિક સ્વપ્નને મિથ્યાજ્ઞાન માને છે, જ્યારે જેનપરંપરા નિદ્રાને તે નામના કર્મથી જન્ય માને છે અને મનેમતિના ઉદાહરણમાં સ્વપ્નને ઉલ્લેખ કરે છે. યોગદર્શન સ્વપ્નને એક પ્રકારની સ્મૃતિ માને છે,102 જ્યારે જૈનદર્શન સ્વપ્નને સ્મૃતિ માનતું નથી. પંચાધિકરણ જ્ઞાનના પ્રકારોને જુદી રીતે સમજાવે છે. 103 જેમ કે, જ્ઞાનના બે ભેદ છેઃ પ્રાકૃતિક અને વૈકૃતિક. પ્રાકૃતિકના ત્રણ ભેદો છે: તત્ત્વસમકાલ, સાંસિદ્ધક અને અભિષંદિક, વકૃતિકના બે ભેદ છેઃ સ્વકૃત અને પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy