SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મન:પર્યાયજ્ઞાન ૨૫૧ માનવું હતું કે તે જીવ જ માનુષોત્તરશૈલની અંદરના ભાગમાં તે જોઈએ. અલબત્ત, તેણે ચિંતવેલા અર્થો લેકાન સુધીના હેય તે પણ તેઓ મન:પર્યાયને વિષય બની શકે છે. ધવલાટીકાકાર ઉક્ત બને તેનું ખંડન કરતાં કહે છે કે મનઃ પર્યાય માટે મનુષાર શૈલની મર્યાદા બાંધવી અયોગ્ય છે, કારણ કે આવા સ્વતંત્ર અતીન્દ્રિયજ્ઞાનને માનુષોત્તર પર્વતનું વ્યવધાન નડી શકે નહીં. વળી મન:પર્યાયાની જે લેકાન્ત સુધીના અર્થો જાણી શકતો હોય તે લોકાન્ત સુધીમાં રહેલા (જીના) ચિત્તને તે કેમ ન જાણી શકે? આથી માનુષત્તરશલના ઉલ્લેખને ઉપલક્ષણ તરીકે સ્વીકારીને મન:પર્યાયની ક્ષેત્રમર્યાદા ૪૫ લાખ યોજન માનવી યુતિસંગત છે. 18 કાળમર્યાદા - મન્દિ, જિનભદ્ર અને નદિના ટીકાકારે ભૂત-ભવિંધ્યકાલીન પલ્યોપમના અસંખ્યયમા ભાગ જેટલા કાળની વાત કરે છે, જ્યારે પખંડાગમ અને પૂજ્યપાદની પરંપરા અસંમેય ભાના જ્ઞાનની વાત કરે છે. આ પરંપરાએ કાળની વિશેષ સ્પષ્ટતા કરી છે. કેનું ચિત્ત ? – મન:પર્યાયની ક્ષેત્રમર્યાદામાં રહેલા તમામ જવાનું ચિત્ત મન:પર્યાયને વિષય બની શકતું નથી, પરંતુ જે જીવો સંપિચેન્દ્રિય પર્યાપ્ત હોય તે જીવોનું ચિત્ત જ વિષય બની શકે છે. ૧૦ ૪. મન:પર્યાયની પ્રક્રિયા : મન:પર્યાયની પ્રક્રિયા અંગેના પખંડાગમકારના મત અનુસાર પ્રથમ અન્યના માનસનું જ્ઞાન થાય છે અને તે પછી અન્યનાં સંપા, સ્મૃતિ આદિનું થાય છે. (મા માળ પવિત્તા રિહિં સ00 સદ્ધિ... વાઢિ (પ-પ-૬૩) પ્રસ્તુત માન્યતામાં વૈદિક માન્યતાને પ્રતિધ્વનિ છે, કારણ કે વૈદિક પરંપરાના મત અનુસાર આત્માની સહાયતાથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. અતીન્દ્રિયાનમાં મનને ઉપયોગ વિસંગતિ ઉપસ્થિત કરે છે, કારણ કે જેનપરંપરા અતીન્દ્રિય જ્ઞાનને આત્મમાત્ર સાપેક્ષ માને છે. આથી પાછળના અકલંક વગેરે આચાર્યોને મળેળ નું અર્થઘટન કરવામાં મુશ્કેલી પડી છે. અકલંકે તેને અથ મારમના કર્યો છે. 11 પણ ધવલાટીકાકારે તેને અથ મતિજ્ઞાન કર્યો છે. આ અર્થ પ્રમાણે મનઃ પર્યાયની પ્રક્રિયા જુદી પડે છે. ધવલાટીકાકારના ઉકત મત અનુસાર પ્રથમ મતિજ્ઞાનથી અન્યના માનસનું જ્ઞાન થાય છે અને તે પછી પ્રવૃત્ત થતા મન:પર્યાય વડે અન્યને મગત અર્થેનું જ્ઞાન થાય છે. આ રીતે પરકીયમન મતિાનને વિષય બને છે અને પરકીયમને ગત અથ મન:પર્યાયને વિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy