SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જૈનસ`મત જ્ઞાનચર્ચા ઉકત ગુણીની હાનિ તેમજ સકૂલેશ પરિણામની વૃદ્ધિ અવધિહાનિમાં કારણુભૂત છે. મલયગિરિ આદિ પરવતી. આચાર્યાએ એનુ સમથ ન કર્યુ છે.120 · પૂજ્યપાદ, (૨) વૃદ્ધિ-હાનિના પ્રકાર :- જિનભદ્રે કરેલી સ્પષ્ટતા અનુસાર વૃદ્ધિના બે ભેદ છે : ભાગવૃદ્ધિ અને ગુણવૃદ્ધિ. (અમુકમાં ભાગ પ્રમાણે વૃદ્ધિ થતી જાય તે ભાગવૃદ્ધિ છે, જ્યારે અમુકગણી વૃદ્ધિ થતી જાય તે ગુણવૃદ્ધિ છે. જેમકે એક રૂપિયાની દશભાગ વૃદ્ધિ એક રૂપિયા દસ પૈસા થાય, તેની દગુણ વૃદ્ધિ દસ રૂપિયા થાય.) ભાગવૃદ્ધિના ત્રણ પ્રકાર છે –અનન્તભાગવૃદ્ધિ, અસ ધ્યેય ભાગવૃદ્ધિ અને સંધ્યેય ભાગવૃદ્ધિ. ગુણવૃદ્ધિના પણ ત્રણ પ્રકાર છે—સ ધ્યેય ગુણવૃદ્ધિ, અસ ધ્યેય ગુણવૃદ્ધિ, અને અનન્તગુણવૃદ્ધિ. આમ વૃદ્ધિના છ પ્રકારા છે; પ્રસ્તુત ક્રમ ઉત્તરોત્તર વધુ પ્રમાણ સૂચવે છે. આ જ રીતે હાનિના પણ છ ભેદે છે. 121 (૩) દ્રવ્યાદિને લાગુ પડતા વૃદ્ધિ-હાનિનાભેદો : આ નિયુ*કિતમાં જણાવ્યા અનુસાર દ્રવ્યની બે પ્રકારે, ક્ષેત્ર-કાલની ચાર પ્રકારે અને પર્યાયની છ પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે.92 વિ॰ ભાષ્યમાં કરેલી સ્પષ્ટતા અનુસાર દ્રવ્યની અનન્તભાગ અને અનન્તગુણ એમ બે પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે; ક્ષેત્રકાળની અસ ધ્યેયભાગ, સાંખ્યયભાગ, અસ ધ્યેયગુણ અને સભ્યેય ગુણ એમ ચાર પ્રકારે વૃદ્ધિ-હાનિ થાય છે, જ્યારે પર્યાયની છયે પ્રકારે વૃદ્ધિફ્રાનિ થાય છે. દ્રવ્યાદિની વૃદ્ધિ-હાનિના પ્રકારાની સંખ્યામાં દેખાતી ઉપયુકત વિષમતાનું કારણ ક્ષેત્રકાળની અન્તરહિતતા123 છે અને દ્રવ્યને તેવા (યે પ્રકાર વૃદ્ધિ હાનિ થઈ શકે તેવા) સ્વભાવ છે.1 2.4 ઉપર જોયુ તેમ જિનભદ્ર દ્રવ્યની વૃદ્ધિ–હાનિને બે પ્રકારની માને છે, જ્યારે અકલ`ક તેને ક્ષેત્રકાલની જેમ જ ચાર પ્રકારની માને છે.125 એને અથ એવા થયે કે દ્રવ્યની વૃદ્ધિહાનિની બાબતમાં જિનભદ્ર અને અકલંક વચ્ચે વૃદ્ધિ-હાનિની ભેદસ ખ્યા અને ભેદસ્વરૂપ બન્ને બાબતમાં મતભેદ છે. (૪) દ્રવ્યાદ્રિની-વૃદ્ધિ હાનિના પારસ્પારિક સંબંધ ઃ વિ॰ ભાષ્યમાં જણાવ્યા પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પર્યાયમાંથી ગમે તે એકની વૃદ્ધિ થાય તેા અન્યની વૃદ્ધિ (કે અવસ્થાન) 17 થાય અને એકની હાનિ થાય તે અન્યની પણ હાનિ કે અવસ્થાન (તેની તે સ્થિતિમાં રહેવુ) થાય. વળી, એકની ગુણવૃદ્ધિ થાય તો અન્યની પણ મોટેભાગે ગુણવૃદ્ધિ જ થાય અને એકની ભાગવૃદ્ધિ થાય તા અન્યની પણ મોટેભાગે ભાગવૃદ્ધિ જ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy