SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ૨૧૧ અને ક્ષાયોપથમિક એ બે ભેદમાં વહેંચી શકાય. અવધિની ઉત્પત્તિના સંદર્ભમાં વિચારાયેલા આ બે ભેદને સમગ્ર જેનપરંપરાએ સ્વીકાર્યા છે. જેની પરંપરામાં આ બે ભેદ ઉપરાંત અન્ય ભેદની પણ વિચારણા થઈ ગઈ છે, જેને ચાર જૂથમાં વહેચી શકાય : નિયુક્તિ, પખંડાગમ, નંદિ અને તવાઈ.. (૧) નિર્યુકિત આવશ્યક નિયુકિતમાં ચૌદ દ્વારેથી અવધિની વિચારણું કરવામાં આવી છે. 31 (1) અવધિ (૨) ક્ષેત્રપરિમાણ, (૩) સંસ્થાન, (૪) આનુ ગામિક, (૫) અવસ્થિત, (૬) ચલ, (૭) તીવ્રમન્ડ, (૮) પ્રતિપાત-ઉત્પાદન, (૯) જ્ઞાન, (૧૦) દર્શન, (૧૧) વિભંગ, (૧૨) દેશ, (૧૩) ક્ષેત્ર અને (૧૪) ગતિ 38 આ મુદ્દાઓની બાબતમાં પછીના કાળના કેટલાક આચાર્યો એવું માનતા હતા કે પ્રસ્તુત વિચારણા અવધિની હોવાથી અવધિ' એ સ્વતંત્ર મુદ્દો ન હોઈ શકે, પરંતુ તેમની આ માન્યતા અનુસાર ‘અધેિ' ને કાઢી નાખતાં નિયુક્તિગત દ્વારની સંખ્યા તેરની થતી હતી. આથી એ આચાર્યો નિક્તિગત દ્વારની ચૌદની સંખ્યાની સંગતિ માટે અનાનુગામિક એ મુદ્દાને ઉમેરો કરતા હતા એ ઉલ્લેખ વિ. ભાષ્યમાં મળે છે. જિનભર નિયુક્તિગત ૧૪ દ્વારે ઉપરાંત ઋદ્ધિને પંદરમાં દ્વાર તરીકે સ્વીકારે છે.) (૨) પખંડાગમ :– પખંડાગમમાં ૩ પ્રકારોને ઉલ્લેખ છે : દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ, હીયમાન, વર્ધમાન, અવસ્થિત, અનવસ્થિત, અનુગામી, અનનુગામી, સપ્રતિપાતિ, અપ્રતિપાતિ, એકક્ષેત્ર અને અનેક ક્ષેત્ર.૨૦ આ ભેદોમાં નિતિગત અવધિ, સંસ્થાન, જ્ઞાન, દર્શન, વિભંગ, દેશ અને ગતિ વગેરે કેટલાક મુદ્દાઓ સ્વીકારાયા નથી. એને અર્થ એ થયો કે અહીં અવધિના પ્રકારે પૂરતી વિચારણું મર્યાદિત છે. ન%િ અને તત્વાર્થમાં પણ તેવું જ છે. પખં, ડાગમમાં નિયું ક્તિગત પ્રકારો કરતાં દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ જેવા કેટલાક પ્રકારે નવા ઉમેરાયા છે. નિયુક્તિમાં આનુગામિક-અનાનુગામિક એવાં વ્યવસ્થિત જોડકાં સ્વતંત્ર ભેદ તરીકે નથી, જ્યારે પખંડાગમમાં પ્રથમ ત્રણ પ્રકારને એક વિભાગ અને તે પછી બાકી રહેતા દશ પ્રકારનાં પાંચ યુમ સ્વતંત્ર ભેદ તરીકે પ્રાપ્ત થાય છે. વળી, નિયુક્તિમાં આનુગામિક-અનાનુગામિક-મિશ્ર; પ્રતિપાતિઅપ્રતિપાતિ-મિશ્ર વગેરેમાં જે “મિત્ર' નામના પ્રકારે 1 છે, તે ખંડાગમમાં જોવા મળતા નથી. આ વિગતેના આધારે એમ કહી શકાય કે પખંડાગમના કાળમાં અવધિના પ્રકારેને વ્યવસ્થિત કરવાને અને બિનજરૂરી વિચારણને કાઢી નાખવાને પ્રયાસ શરૂ થઈ ચૂકી હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy