SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા મુખ્યત્વે મહિમાના વ્યક્તિવિવેક અને મમ્મટના કાવ્યપ્રકાશનો સીધો પ્રભાવ છે. આચાર્યશ્રી જણાવે છે કે દોષો લક્ષણાથી શબ્દાર્થના છે એમ જે કહ્યું છે તેમાં શબ્દ તે પદ અને વાક્યરૂપ હોવાથી સહુપ્રથમ બે પદદોષો વિચારાશે, જે છે નિરર્થક અને અસાધુત્વ (સળંગ, સૂત્ર ૮૮ તથા સૂત્ર ૩/૪). ‘ચ વગેરે નિપાતો કેવળ પૂરક તરીકે જ જ્યારે પ્રયોજાય ત્યારે નિરર્થક દોષપ્રાપ્ત થાય છે, જેમ કે, “મુન્દુમૃદુરદં' વગેરે (શ્લોક ૨૦૨). આચાર્યશ્રી નોંધે છે કે, પદનો એક ભાગ ટ્વિન્ટેશને” ને પદ જ કહેવાય. તેવા પર્દકદેશમાં નિરર્થકત્વનું ઉદાહરણ છે “ગાવાવષ્યન’ વગેરે (શ્લોક ૨૦૩ ); અહીં “દશામ' એવું બહુવચન અનર્થક છે, કેમ કે, એક જ કુરંગેક્ષણા નાયિકાનું ગ્રહણ અહીં અભિપ્રેત છે. આચાર્ય મમ્મટે નિરર્થક દોષને “પતિપૂર માત્રપ્રયોગનું વાવ' (પૃ. ૨૭૩, કા.પ્ર. B.0.R. આવૃત્તિ, ઝળકીકરની ટીકા સાથે; પૂના, '૩૩; પાંચમી આ.) એ રીતે સમજાવ્યો છે. આનો હેમચન્દ્રાચાર્ય સ્વીકાર કરે છે. કા.પ્ર.માં ‘ ઉત્તમનવેસર” વગેરે ઉદાહરણ (પૃ. ૨૭૪, એજન) (શ્લોક. ૧૪૭) અપાયું છે. તેમાં ‘હિ પદ નિરર્થક રીતે પ્રયોજાયું છે. આ પછી મમ્મટ નોંધે છે (પૃ. ૨૯૬, એજન) કે, ટ્યુતસંસ્કાર, અસમર્થ અને નિરર્થકને બાદ કરતાં બાકીના દોષ વાક્યમાં પણ જણાય છે. અર્થાત્ શ્રુતિકટુ વગેરે ૧૩ વાક્યદોષો પણ બને છે જ્યારે તેમાંના કેટલાક પદાંશમાં પણ જણાય છે. પદેકદેશમાં નિરર્થકત્વનું જે ઉદાહરણ “મહાવઝન વગેરે મમ્મટે આપ્યું છે (પૃ. ૩૨૧, શ્લોક, ૨૦૦, કા.પ્ર. એજન) તે હેમચન્દ્ર પણ સ્વીકાર્યું છે. મમ્મટની નોંધ ‘મત્ર દેશમતિ વહુવન નિરર્થમ્ | રીક્ષા ચા ચા પાવાનાત્' (પૃ. ૩૧, કા. પ્ર. એજન) પણ હેમચન્દ્ર જેમની તેમ આપી છે. ફક્ત “નિરર્થવ'ને સ્થાને તેમણે “અનર્થ' પદ પ્રયોજ્યું છે. હેમચન્દ્ર નોંધે છે કે, ‘મનસતર્ત:'(અમરુ. ૪, શ્લોક ૨૦૪)માં તેવું નથી. ત્યાં વ્યાપારભેદને કારણે “:' એવું બહુવચન છે, જે દોષરૂપ નથી. “ઝાવાવઝન' વગેરેમાં વ્યાપારોનું ગ્રહણ ન હોવાથી દોષ જણાય છે. વળી, અહીં “દ' શબ્દ વ્યાપારના નહિ પણ “નેત્ર'ના અર્થમાં છે. આ સઘળી ચર્ચા તેમણે કાવ્યપ્રકાશને અનુસરીને કરી છે. તફાવત એટલો જ છે કે, વાક્યદોષોની ચર્ચા શરૂ કરીને મમ્મટે આ ચર્ચાને વચ્ચે વણી લીધી છે જયારે આચાર્ય પદદોષના સંદર્ભમાં જ આ ચર્ચાને રાખીને સંદર્ભગત ઔચિત્ય બરાબર સાચવ્યું છે. હેમચન્દ્ર આગળ નોંધે છે કે, કેટલાકને મતે યમક વગેરેમાં નિરર્થકત્વ દોષરૂપ નથી. જેમ કે, “વિતામવિતર' વગેરે તથા જમો મુનાપ્રતિમેન (શિશુ. ૧૦૯૦; કાવ્યાનુશાસન શ્લોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy