SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૩૧ સમગ્ર ભારતના કાવ્યવિદ્યા જિજ્ઞાસુઓ ઉપર ઉપકારની ભાવનાથી અથવા કહો કે, આ મધ્યમબુદ્ધિઓ માટે પ્રેમ અને કરુણાથી બધા જ મૂળ શ્રદ્ધેય ગ્રંથોનું દોહન, ચયન કરીને, સઘળા વિચારપ્રવાહોને સુવ્યવસ્થિત કરી તેનું યથાયોગ્ય પુનર્મૂલ્યાંકન કરી શાસ્ત્રશુદ્ધ સ્વરૂપનો સરળ શૈલીમાં પરિચય આપવાનો જ તેમનો અભિગમ રહ્યો છે. તેમાં ક્યાંક આદરાતિશયથી, ક્યાંક તેવું જરૂરી જણાય ત્યારે મૂળ ગ્રંથકારનું નામ તેમણે નિર્દેશ્યું જ છે. વાસ્તવમાં કાવ્યવિદ્યાના જે આરૂઢ યોગીઓ હતા, જેમને આ શાસ્ત્રના સઘળા ગ્રંથો હસ્તામલકવત્ હતા તેમને તે કયો વિચાર ક્યાંથી લેવાયો તે સમજાવવાનું રહેતું જ નથી, અને આથી આચાર્યે ચારે દિશાઓમાંથી આવતા બધા જ વિચારપ્રવાહોને આવકારવા પોતાના મનોમંદિરનાં દ્વાર ખુલ્લાં જ રાખ્યાં છે એમ માનવું અને વિચારવું એ જ યુક્તિયુક્ત છે. હા, એટલું કહી શકાય, અને તે આપણે જે દોષવિશેષની વિસ્તૃત ચર્ચા દરમ્યાન જોઈશું કે, આચાર્યશ્રીની આખી રજૂઆતમાં કોઈ એક જ ચોક્કસ તર્ક વ્યવસ્થા કામ કરતાં હોય તેવું અમે પામી શક્યા નથી, એ એટલા માટે કે, દા. ત. દોષવિચારમાં અને આવું બીજા મુદ્દાઓની ચર્ચામાં પણ જોવા મળે છે કે મૂળ ગ્રંથકારમાંથી આચાર્યશ્રી ફકરાના ફકરા દોહનરૂપે પોતાની ચર્ચામાં સમાવિષ્ટ કરે છે ત્યારે ઘણો અંશ ‘વિવેક' ટીકામાં તેઓ આપે છે. પણ તેમાં વચ્ચે કેટલીક પંક્તિઓ મૂળ કાવ્યાનુશાસનની અલંકારચૂડામણિ ટીકાના અંશમાં પણ લઈ જવાય છે, અને ફરીથી પાછો અચાનક બાકીનો અંશ વિવેકમાં ચાલુ થઈ જાય છે. કોઈ વાર મૂળ ગ્રંથકારે અમુક પંક્તિ અમુક સ્થળે લખી હોય તેને આચાર્યશ્રી ક્યાંક બીજે ગોઠવી દે છે. ખૂબ ઝીણવટથી વિચાર્યા છતાં આવી રજૂઆત પાછળનો આચાર્યશ્રીનો કોઈ ચોક્કસ તર્ક કે વ્યવસ્થા (Scheme) અમે તારવી શક્યા નથી. શું એવું વિચારી શકાય કે કોઈ લહિયાએ મૂળ આદર્શ autographની નકલ કરતાં ક્યાંક ગોથું ખાઈને પંક્તિઓ આમ તેમ વાંચી / લખી દીધી હોય ? તો તેની પુનઃ સમીક્ષા કરવી જરૂરી ખરી ? જે હોય તે. હાલને તબક્કે આ વિચાર આપણે કોઈ મોટા અધિકા૨ી વિદ્વાનને સોંપીશું જે આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે. આ નોંધ ડૉ. સુશીલકુમાર દેની ટીકા કે પૂ. રસિકભાઈનો બચાવ બન્ને બિનજરૂરી જણાતાં અમે કરી. પણ હકીકતમાં કેવળ દોષ પ્રકરણમાં જ નહીં, આપણે આગળ કવિશિક્ષાની ચર્ચામાં પણ જોયું હતું તેમ, આચાર્યશ્રીની વ્યવસ્થા સમજમાં ન આવે તે વાત ઘણે સ્થળે પ્રત્યક્ષ થાય છે. આથી જ, સરવાળે એમ કહેવું હિતાવહ છે કે, જેમ કાવ્ય અખંડબુદ્ધિસમાસ્વાદ્ય છે, તેમ આચાર્ય હેમચન્દ્રનો આ ત્રિસ્તરીયગ્રંથ પણ અખંડબુદ્ધિસમાસ્વાદ્ય લેખવો જોઈએ. અસ્તુ રસદોષ :- (સળંગ સૂત્ર ૮૫-૮૭, સૂત્ર ૧-૩ અધ્યાય ૩) આચાર્ય હેમચન્દ્ર આ રસદોષોની ચર્ચા, વિવેકનો અંશ ઉમેરતાં ૪૦ છાપેલાં પૃષ્ઠોમાં (આ. એ જ) ખૂબ જ વિસ્તારથી કરે છે. તેઓ ઉદ્ભટ અને રુદ્રટમાંથી સંદર્ભો ટાંકે છે. એટલું જ નહીં, પણ આનંદવર્ધન, અભિનવગુપ્ત (= લોચન) અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ઘણો આધાર રાખે છે. તેમના ઉપર કાવ્યમીમાંસાકાર રાજશેખરનો પણ ઘેરો પ્રભાવ વર્તાય છે. આ બધાનો વિનિયોગ કરતી વખતે Jain Education International — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy