SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ નામ અને રૂપ આ પ્રતીત્યસમુત્પાદમાં શાશ્વતતા, ઉચછેદ કે સંક્રાન્તિનો પ્રશ્ન જ ઊભે. થતો નથી. બીજ અને અંકુરનો અભેદ નથી, કારણ કે તે તો નવું સ્પષ્ટ છે કે તે બે ભિન્ન વસ્તુઓ છે, અને એ તો દેખાય જ છે કે જ્યારે બીજ નાશ પામે છે ત્યારે અંકુર અસ્તિત્વમાં આવે છે. આથી અંકુત્પત્તિમાં શાશ્વતતા રહેલી છે એમ માની શકાય જ નહિ. નથી તેમાં ઉચ્છેદ રહેલો; કારણ કે જે બીજ સર્વથા નષ્ટ નથી થયું તેમ જ સર્વથા અવિનષ્ટ નથી રહ્યું તેમાંથી અંકુર અસ્તિત્વમાં આવે છે. ત્રાજવાના એક પહેલાનું નીચે જવું અને બીજાનું ઊંચે જવું જેમ એક જ ક્ષણે થાય છે તેમ જ ક્ષણે બીજ નાશ પામે છે તે જ ક્ષણે અંકુર અસ્તિત્વમાં આવે છે. વળી, બીજ અન્ય અને અંકુર પણ અન્ય એવું હોઈને એમ પણ ન કહી શકાય કે બીજ અંકુરમાં સંક્રાન્ત થાય છે. હવે જેમ ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે બીજ જેવી બાહ્ય ભૌતિક વસ્તુઓનું અસ્તિત્વ પ્રતીત્યસ મુત્પાદના નિયમ સિવાય બીજા કશા ઉપર આધાર રાખતું નથી તેમ આધ્યાત્મિક ભૌતિક વસ્તુઓ અર્થાત્ જેને આપણે જીવ કહીએ છીએ તેના શરીર અને મનની ઘટક વસ્તુઓ પણ પિતાના અસ્તિત્વ માટે આત્માને બિલકુલ વચ્ચે લાવ્યા વિના પ્રતીત્યસમુત્પાદ ઉપર જ આધાર રાખે છે. બાહ્ય અને આધ્યાત્મિક એ બે પાસાઓ પ્રમાણે પ્રતીત્યસમુત્પાદનિયમના પણ બાહ્ય અને આધ્યાત્મિક એ બે પ્રકાર છે. હવે કહેવાતા જીવના ઘટકો ક્યા ક્યા છે? પૃથક્કરણ કરી આપણે જોઈએ તો મુખ્ય બે ઘટકે નામ અને રૂપ છે. આ બે શબ્દોને સામાન્ય રીતે અંગ્રેજીમાં અનુવાદ અનુક્રમે “name” (નામ) અને “form” (= આકાર =ઘાટ) એવો કરવામાં આવે છે, જે બરાબર નથી. એ વાત ખરી કે ઉપનિષદમાં આ બે શબ્દોનો ઉપર કહ્યો તે અર્થ છેv૮ પરંતુ બૌદ્ધ સાહિત્યમાં તેમને અર્થ સાવ જુદે છે. નામને મુખ્ય અર્થ આપણે ચિત્ત, મન, વિજ્ઞાન (Consciousness) સમજવાન અને ગૌણ અર્થ ચૈતસિક ધર્મો (mentals) અર્થાત્ લાગણી (= વેદના), પ્રત્યક્ષ (= સંજ્ઞા) સંસ્કાર (= coefficients of consciousness) સમજવાન. ચિત્ત અને ચૈતસિક ધર્મો પોતાના વિષય તરફ ઢળતા–નમતા હોઈ તેમને “નામ” એવું નામ આપ્યું છે. રૂપ શબ્દનો ૪૮. ઉદાહરણથ, છાન્દો, ૬.૩.૨-૩; ૭.૧૪.૧ ૪૯. સોધિનોની પાલિ ટૅફસ્ટ સે, પૃ૦ ૧૩૫ઃ નમતીતિ નામ; વિદ્ધિમા, Simon [અનુસંધાન પૃ૦ ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy