SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના પિતાના રાગનો મોટામાં મેટ વિષય આત્મા છે અને તેથી અવશ્યપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કામને વિષય પણ તે આત્મા છે એવું ભગવાનને લાગ્યું હતું એ વાત નિઃશંક છે. પરંતુ તેમને એ પણ લાગ્યું હતું કે જ્યાં કામ છે ત્યાં તેનાં દુષ્ટ પરિણામે–દુઃખ અને યાતનાઓ–પણ હોવાં જ જોઈએ. પિતાના અતિ પ્રિય પૌત્રને ગુમાવનાર વિશાખાને એક વાર ભગવાને કહ્યું હોવાનું કહેવાય છે કેઃ ' “જગતમાં જે કંઈ શેક, વિલાપ કે અનેક પ્રકારનાં દુઃખ છે તે બધાં રાગને કારણે છે. જે રાગ ન હોય તે તેમનું પણ અસ્તિત્વ ન હોય. તેથી, જેમને જગતમાં ક્યાંય રાગ નથી તેઓ સુખી છે અને શંકરહિત છે. વળી તેથી જ જેમને દેષરહિત અને શોકરહિત (વિજ્ઞ અને ૩ોવ= નિર્વાણ) થવું હોય તેમણે જગતમાં કોઈ પણ ચીજ પ્રત્યે રાગ કરવા જોઈએ નહિ.૨૭ આ માનસિક વલણ રાખીને અને જગત ક્ષણિક અને દુઃખમય છે એ પ્રતીતિથી ખૂબ પ્રભાવિત થઈને અને ઉપનિષદમાં એમના પુરોગામીઓએ નિરૂપેલાં આત્માનાં લક્ષણો–સ્વતંત્રતા, નિત્યતા અને આનંદ—ઉપર વારંવાર ચિન્તન કરીને, ભગવાન બુદ્ધ પિતાના હૃદયમાં આત્મા ક્યાં છે તેની શોધ કરવા માંડી. તેમને ક્યાંય મળે નહિ. તેમને પ્રતીતિ થઈ કે આમા નામમાત્ર કે કલ્પનામાત્ર (પ્રજ્ઞપ્તિસત્) છે, તે કઈ વાસ્તવિક દ્રવ્ય (દ્રવ્યસત ) નથી, કારણ કે જેને આત્મા ગણવામાં આવે છે તેને ઉપર વર્ણવેલ સ્વભાવ નથી. તો તે શું છે? તે રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એ પાંચ સકો સિવાય બીજું કંઈ જ નથી. તે આમાંના દરેકનું પૃથક્કરણ કરે છે અને શિષ્યને વેધક પ્રશ્નો પૂછે છે જેથી આત્મા વિશે ખરું સત્ય તેઓ સમજી શકે. અહીં નીચે સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવેલ વિનયપિટકમાં ર૭. જે જ સોજા પરિવિત વાં दुक्खा च लोकस्मिं अनेकरूपा । पियं पटिच्चेव भवन्ति एते पिये असन्ते न भवन्ति एते ॥ तस्मा हि ते सुखिनो वीतसोका येस पियं न अत्थि कुहिं चि लोके । तस्मा असोकं विरजं पत्थयानो पियं न कयिराथ कुहिं चि लोके ॥ ઉદાન, ૮.૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy