SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ યમ-નચિકેતા સંવાદ હું તમને આ સંદર્ભમાં એ જ કૃતિમાં આવતા નચિકેતા અને મૃત્યુ વચ્ચેના સુપ્રસિદ્ધ સંવાદને જોઈ જવાનું કહું છું. તેનો કેટલેક ભાગ હું અહીં ઉદ્દધત કરું છું.૧૮ યમરાજે નચિકેતાને કહ્યું, “જોઈએ તો સો વર્ષની આવરદાવાળા પુત્ર અને પત્રો માગ. જોઈએ તો અનેક પશુઓ, હાથીઓ, સેનું, ઘડાઓ માંગ. જોઈએ તો પૃથ્વીનું મેટું સામ્રાજ્ય માગ અને જેટલી ઇચ્છા હોય એટલાં વર્ષોનું લાંબું આયુષ્ય માગ. અરે! આના બરાબર જે બીજુ કઈ વરદાન જોઈતું હોય તો તે માગ. ધન માગ, લાંબું જીવન માગ. હે નચિકેતા! તું મોટી વિશાળ પૃથ્વીને રાજા થા. હું તારી બધી ઈચ્છાઓને પૂરીશ (ામાનાં વા કામમાં જોfમ). જે જે ઈચ્છાઓ મૃત્યુલોકમાં પુરાવી મુશ્કેલ હોય, તે તે બધી ઈચ્છાઓ તું તારી મરજી પ્રમાણે માગ. આ અહી છે તેવી સ્ત્રીઓ, ર, વાજિંત્રો મનુષ્યને મળતાં નથી. મેં મોકલેલી એ સ્ત્રીઓ તારી સેવામાં હાજર રહેશે. પણ તે નચિકેતા! તું મરણ વિશે મને પૂછ મા.” અને આ રહ્યો નચિકેતાનો ઉત્તરઃ “હે મૃત્યુ! એ બધા ય વિષયો તે આવતી કાલ સુધી જ ટકનાર છે અને તેઓ, બધી ઇન્દ્રિયનાં તેજ હરી લે છે. વળી સમગ્ર જીવન ટૂંકું જ છે. માટે એ નાચ-ગાન અને ઘોડાઓ તમારી પાસે જ રાખો. મનુષ્યને ધનથી સંતોષ થતો નથી.”૧૯ હવે આપણે બુદ્ધના જીવન ભણું વળીએ. તેમની દેશના વિશે મેળ ન ખાય એવા વિવિધ મતો છે. પરંતુ એક મુદ્દા ઉપર સૌ સંપૂર્ણ પણે સહમત છે કે તે પોતાની સર્વ શક્તિથી પિતાના ભયંકર દુશમન મારી સામે વીરતાથી લડ્યા અને છેવટે એ લડાઈમાં તેને પૂરેપૂરે હરાવ્યો. આ પછી જ તે બુદ્ધ બન્યા. જેનું કવિઓએ કાવ્યમાં વિસ્તૃત વર્ણન કર્યું છે તે મારવિજયે તેમની જીવનકથામાં યોગ્ય રીતે જ શાશ્વત સ્થાન પ્રાપ્ત કર્યું છે. બુદ્ધિજીવનના બીજા બનાવોને કોઈએ ખરેખર લેખામાં ન લેવા હોય તે ન પણ લે, પણ બુદ્ધ મારને પરાજય કર્યો હતો એ હકીકતની અવગણના કોઈ પણ રીતે કોઈ કરી શકે નહિ. પણ આ માર કોણ છે? બીજુ કોઈ નહિ પણ પુરુષરૂપે કેલ્પાયેલો કામ. મારા શબ્દ મૃ (મરવું) એ સંસ્કૃત ધાતુમાંથી બનેલ છે. તેને ૧૮. કઠોપ૦ ૧.૨૩–૨૬. ૧૯. અનુવાદ Max Muller અનુસાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy