SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના 1 ગઈ છે, તેને આત્મા સિવાય બીજા કશાની કામના નથી, તેના પ્રાણ શરીર છોડી ચાલ્યા જતા નથી, તે બ્રહ્મ હાઈ બ્રહ્મમાં ભળી જાય છે.” એને વિશે આ શ્લોક છે માણસના હૃદયમાં જે કામનાઓ રહેલી છે તે બધી જ્યારે છૂટી જાય છે ત્યારે તે માણસ મરણને અધીન હોવા છતાં અમર બને છે; અને આ દેહે જ બ્રહ્મને પામે છે. અને વધારામાં કહ્યું છે કે, “આ જાણીને પ્રાચીન લોક સંતાનની કામના રાખતા ન હતા. તેઓ કહેતા કે આપણને આ આત્મા અને આ લોક મળ્યો છે તે પછી આપણે સંતાન મેળવીને શું કરીશું ? અને સંતાનની કામના છોડીને, ધનની કામના છોડીને, સ્વર્ગાદિ લોકની કામના છેડીને તેઓ મુનિ થઈ વિચરતા (fમક્ષચર્ચ રાત્તિ).” (બૃહદા ૪.૪.૨૨). - આમ યાજ્ઞિકથી સાવ ઊલટા તેઓ આત્મજ્ઞાનની ખેજમાં બધી જ જાતની કામનાઓથી ઉપર ઊઠીને ઘરબારનો ત્યાગ કરે છે, વનમાં રહે છે કે પરિવ્રાજક મુનિ બની વિચરે છે. " યાજ્ઞિકો અને વેદાન્તીઓની બે આત્યંતિક માન્યતાઓને સમન્વય સાધવા પ્રયત્ન કરનાર એક મધ્યમમાગી વિચારધારા પણ તે કાળે અસ્તિત્વ ધરાવતી હતી. તે વિચારાધારા પ્રમાણે માત્ર કર્મો–જેને તે અવિદ્યા તરીકે ઘટાવતી–કે માત્ર વિદ્યા સ્વતંત્રપણે કંઈ જ કરી શકે નહિ પરંતુ ધ્યેયપ્રાપ્તિને માટે તે બન્નેને સમુચ્ચય આવશ્યક છે, કારણ કે તે વિચારધારો કહે છે કે કર્મ(અવિદ્યા)થી તો મૃત્યુને તરી શકાય પણ અમૃતને મેળવવા માટે તે વિદ્યાને જ આશરે લેવો પડે. (ઈશે૫૦ ૧૧). - જે હો તે, આત્મજ્ઞાનના ઉપાયને વિચાર કરીએ તો તે ઉપાય મુખ્યપણે ગ છે. એ યુગમાં એગ ખૂબ વિકસેલો હતો એવું માનવાને નકકર પુરાવા છે. યોગસાધનામાં જેનું જ્ઞાન ખૂબ આવશ્યક છે તે સૂકમનાડીતંત્ર વિશે ય તે આચાર્યો અમુક અંશે જાણતા હતા. હવે આ અને આના જેવી યાજ્ઞિક અને વેદાન્તીઓની વાતો વૈદિક ગ્રંથમાં સંગૃહીત કરવામાં આવી હોઈ વખત જતાં સ્વાભાવિક રીતે જ એ ગ્રંથને આત્મવિદ્યા ઉપરના પરમ પ્રમાણ તરીકે ગણવામાં આવ્યા, અને તેમની અનુજ્ઞા સિવાય કશું સ્વીકારવામાં આવતું નહિ. વેદોના પ્રામાણ્યમાં १. यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि स्थिताः । __ अथ मोऽमृतो भवत्यत्र ब्रह्म समभुते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001531
Book TitleBuddha Dharma Darsanani Payani Vibhavana
Original Sutra AuthorVidhushekhar Bhattacharya
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy