SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ફીકસ હોય છે. પૂજાવિધિ દરમ્યાન કોઈપણ પ્રકારનું સીવેલું વસ્ત્ર વપરાય નહિ. પૂજાની જોડના છેડા પણ ઓટેલા કે સીવેલા ન હોવા જોઈએ. મુખકોશ માટે વપરાતા અવિધિવાળા રૂમાલની કિનાર પણ સીવેલી ન હોવી જોઈએ. પૂજાવિધિમાં સદશ વસ્ત્ર વાપરવાનું વિધાન અનેક ગ્રંથોમાં જોવા મળે છે (સદશ એટલે જેની કિનાર ખુલ્લી હોય તેવું.) જૈન મુનિવરોનાં બધાં જ વસ્ત્રો આવા સદશ ખુલ્લી કિનારવાળાં હોય છે. સરખું ઢાંકો અને પછી પ્રવેશ માટે પધારો” આમ જુમ્મા મસ્જીદમાં અમૃતસરનાં સુવર્ણમંદિરમાં પ્રવેશ કરતાં પૂર્વે મસ્તક ઢાંકવું અનિવાર્ય ગણાય છે. ફોરેનનાં ચર્ચોમાં ઉઘાડે માથે તો પ્રવેશ કરવા દેતા નથી. પણ જો ઢીંચણથી નીચેના પગ પણ ઉઘાડા દેખાય તો ડોરકીપર ઘસીને ના પાડતાં કહી દે છે કે “જાવ પહેલાં તમારા શરીરને કયાંય સીવેલાં હોતાં નથી. પ્રતિષ્ઠા, અંજનશલાકાવિધિમાં, જાપ, ધ્યાન કે વિશિષ્ટ મંત્ર સાધના દરમ્યાન પણ સદશ વસ્ત્ર જ વપરાય છે. સર્વત્ર ધાર્મિક કે સામાજિક ક્ષેત્રોમાં ગણવેશ અને પહેરવેશની સજજડ મર્યાદાઓ આજે પણ વિધમાન છે. મક્કા-મદીના હજજ કરવા જતાં હાજીઓ પણ આવા સદશ વસ્ત્રો જ વાપરે છે. મક્કામાં પ્રવેશ કર્યા બાદ તેઓ સીધી ચાદર જેવી લુંગી અને પછેડીને ધારણ કરે છે. તેની કોઈ પણ કિનારો પરમાત્મા જિનેશ્વર દેવાધિદેવનું શાસન તો લોકોત્તર છે. એ શાસનની મર્યાદાઓની તોલે તો કોઈ આવી શકે તેમ નથી. ‘નમો જિણાણું’ બોલીને અંજલિ કરવામાં કે ચૈત્યવંદનમાં જયવીયરાય આદિમાં હાથ ઓટેલી કે સીવેલી હોતી નથી. જે ભાઈઓ પૂજાની ઉંચા કરવામાં પણ મર્યાદાનો ભંગ થતો હોવાથી શાસ્ત્રોએ મના કરી કે બહેનોએ હાથ હરગીજ ઉંચા કરવા નહિ. જોડના છેડા સીવડાવી લે છે તે બરાબર નથી. તેને બદલે સાડીના છેડા જે રીતે બાંધવામાં આવે છે તે રીતે ધોતી, ખેસના છેડા બંધાવી લેવામાં આવે તો સદશ વસ્ત્ર પણ કહેવાશે અને ખેસના છેડા પૂંજવાપ્રમાર્જવામાં વધુ ઉપયોગી બની રહેશે. કેટલાક યુવાનો કહે છે કે અમને ધોતીયું પહેરતાં શરમ આવે છે માટે અમે ઝભ્ભો-પાયજામો પહેરીએ છીએ. આવી વાતો તદ્દન વાહિયાત છે. ધોતી/ખેસ પહેરવામાં તે વળી શરમાવા જેવું છે શું ? અરે ભાઈ ! નાના હતા ત્યારે જો બાટલીમાંથી દૂધ પીતાં શરમ ન આવી, મોટા થયાને પપ્પાએ લગ્ન લીધાં ત્યારે ઘોડે ચડતાં જો શરમ ન આવી, પત્ની સાથે છેડાછેડી બાંધીને આખા ગામ વચ્ચેથી પસાર થતાં જો શરમ ન આવી, તો હવે પરમાત્માની પૂજાનાં સર્વોત્તમ કાર્ય માટે ધોતી/ખેસ પહેરવામાં શરમ શા માટે આવે ? શરમ તો પેલા બેશરમ ગણાતા એકટરોના ઉદ્ભટ વેશ પહેરવામાં આવવી જોઈએ. અરે યુવાનો! શરમ શરમની વેવલી વાતોને છોડી દઈને વહેલી તકે મર્દાનગી સાથે ધોતી/ખેસ જો પૂજાનાં વસ્ત્રોની કિનાર પણ ઓટેલી ન ચાલે તો પછી લેં ઘા, ઝભ્ભા, ગંજી, અંડરવેર, સ્વેટર, ઓટેલા રૂમાલ, વગેરે તો કેવી રીતે ચાલી શકે ? સમજી વિચારીને સહુએ આ સીવેલાં વસ્ત્રોને પૂજાવિધિમાંથી દૂર કરવાં જોઈએ. અને પૂજાના ગણવેશ રૂપે ગણાતા ધોતી ખેસને જ પહેરવાં જોઈએ. ભારતની ગવર્મેન્ટે સૈનિકદળમાં, પોલીસખાતામાં, હોમગાર્ડમાં, સ્કૂલમાં બધે જ યુનિફોર્મ ફરજીયાત કરેલ છે. કેટલીક પ્રાઈવેટ કંપનીનાં કર્મચારીઓનો, હૉસ્પિટલની નર્સોનો, બેન્ડવાળાઓનો અને મહિલામંડળોનો પણ ગણવેશ Jain Education International 32 & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy