SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કરાયું છે, પણ તે ખોટું છે; કેમકે ઠણંગસૂત્રમાં અંગબાહ્યશ્રતના આવશ્યક અને આવશ્યક-વ્યતિરિક્ત એવા બે ભેદ પાડી આવશ્યકને ગણધરકૃત અને આવશ્યક-વ્યતિરિક્તને (ઉત્તરધ્યયનાદિને) સ્થવિરકૃત જણાવ્યું છે. એ જ વાત દ્રવ્ય લોકપ્રકાશ સગ ત્રીજ, ગા. ૮૭ થી ૯૮ માં છે. વિશેષાશ્યકભાષ્યમાં અંગબાહામૃતના ત્રણ અર્થે કરવામાં આવ્યા છે.+ તે આ રીતે : (૧) અંગબાહ્ય એટલે સ્થવિરકૃત તે ભદ્રબાહસ્વામીકૃત આવશ્યકનિક્તિ આદિ (૨) અંગબાહ્ય એટલે ત્રિપદીપ્રશ્નોત્તર સિવાય રચાયેલું આવશ્યકાદિ સાહિત્ય. (અહીં આવશ્યકને ગણધરકૃત અને આદિપદથી ઉત્તરાધ્યયન વગેરે શ્રતને સ્થવિરકૃત સમજવાનું છે, કારણ કે આવશ્યકાદિના કર્તા સ્થવિર છે એમ સૂચવ્યું નથી.) (૩) અંગબાહા એટલે અધુવકૃત અર્થાત્ સવ તીર્થંકરદેવેન તીર્થમાં નિયત નહિ તેવું. તે તંદુવેયાલિયપયન્ના પ્રમુખ જાણવું. આ પરથી એ સુસ્પષ્ટ છે કે મધ્યના બાવીસ તીર્થપતિના શાસનમાં આવશ્યક–રચના નિયત છે. ભલે, એને ઉપગ અતિચાર લાગવારૂપ કારણ ઉપસ્થિત થયે થતું હોય. ત્યાં ગણધરભગવંત અને તેમના શિષ્યોને અતિચારના કારણે પ્રતિકમણ કરવું જ પડે છે. તે માટે આવશ્યક आवस्सए चेव आवस्सय वइरित्ते चेव । ટાઇગર સ્થા. ૨. ૩. સા. ૨૨ + गणहरथेरकर्य वा, आएसा मुहवागरणओ वा । धुवचलविसेसओ वा, अंगाणंगेसु नाणत्तं ॥ વિ. મ. સા. ૨૦ વિશેષ માટે જુઓ. આ ગાથા ઉપમલ્લધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy