SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ છે, છતાં તેના મૂલ્યનું વાસ્તવિક જ્ઞાન થયા પછી તેના ઉપર જે શ્રદ્ધા થાય છે, તે દૃઢ અને અનેકગુણથી અધિક હોય છે. પ્રતિકમણનાં સૂત્રો સાચાં રત્નની જેમ સ્વભાવથી જ સુંદર છે. તે પણ તેના ઉપર અંતરંગ શ્રદ્ધા થવા માટે તેના અર્થ અને રહસ્યોનું, પ્રભાવ અને માહાસ્યનું યથાસ્થિત જ્ઞાન મેળવવાની જરૂર છે. આ પુસ્તકમાં તે જ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રતિક્રમણ–સૂત્રના શાસ્ત્રીય શબ્દો અને સત્યો બને તેટલી સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. એ વાંચવાથી, ભણવાથી પ્રતિકમણુ–સૂત્રો સંબંધી ફેલાયેલી અજ્ઞાનતા તથા પ્રતિકમણની ક્રિયા પ્રત્યે આવેલી કે આવતી બેદિલી દૂર થશે અને હવે પછી પ્રગટ કરવાના વિભાગે તથા આજ પૂર્વે પ્રગટ થયેલાં પુસ્તકે વાંચવા તથા ભણવા માટે અંતરની ઝંખના વધશે તથા આ સૂત્રો અને તેના અર્થો રચનારા તથા પ્રકાશનારા અને આજ સુધી તેને સુરક્ષિત રાખીને આપણું પર્યન્ત સક્રિયરૂપે લઈ આવનારા પરમ ઉપકારી પૂવ મહર્ષિએ ઉપર આંતરિક બહુમાનને ભાવ પ્રગટ થશે. આ પુસ્તકના લેખક અને યોજક મહાનુભાવો આ કાર્ય માટે જે આ વિષયના જાણકાર ગીતાર્થ મહાપુરુષ પ્રત્યે સમર્પિત ભાવને ધારણ કરવાની મનોવૃત્તિવાળા બન્યા ન હતા તે આ પુસ્તક જે રીતે પ્રસિદ્ધ થવા પામ્યું છે, તે રીતે કદાચ પ્રસિદ્ધ થવા પામત નહિ. જૈન શાસ્ત્રના કેઈ પણ વિષય ઉપર કલમ ઉપાડવી હોય તેણે સૈથી પ્રથમ ગીતાર્થ પારતંત્ર્ય પ્રાપ્ત કરવું જ પડશે, અન્યથા લાભ થવાને બદલે તેનાથી મેટે અનર્થ થવાનો સંભવ છે. ભૂતકાળમાં આમ બન્યું છે. તત્વાર્થભાષ્ય પરથી આવશ્યકને અંગબાહ્ય તરીકે સ્થવિરકૃત માની ગણધરકૃત નથી એવું સ્થાપિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy