SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ માનનારા ભૂલથી પાછા ફરવારૂપ પોતાના આ ધર્મને ન બજાવે, એ મને જ કેમ ? તેમાં યે જૈનદર્શન તે પેાતાના અનુયાયીઓને મુક્તિપ'થે ચઢાવી શાશ્વત સુખના ભક્તા મનાવવા માગે છે; તેથી જ્યાં સુધી ભૂલના સભવ છે, ત્યાં સુધી તેને માટે પ્રતિક્રમણ અતાવે એ સહજ છે. પ્રતિદિન ઉભય સધ્યાએ પ્રતિક્રમણની ક્રિયા ચતુર્વિધસંઘના જીવન સાથે વણી દેનાર અને વિદ આવનયંમિ, ઉન્નુત્તો દોક્ વિસં। છ પ્રકારના આવસ્યકને વિષે પ્રતિદિવસ ઉદ્યુત રહે, એવા પ્રકારની આજ્ઞા ફરમાવનાર શ્રીજૈનશાસન પેાતાના અનુયાયીઓને મુક્તિમાની સાથે સીધે સંબંધ જોડી આપે છે, અને દુર્ગતિગમનના હેતુઓને મૂળમાંથી જ છેદી નાંખે છે. જેઓ પોતાના અનુયાયીઓને શુષ્ક અધ્યાત્મના નામે દેષા અને ભૂલેથી નિરંતર પાછા ફરવાના માર્ગો નથી ખતાવતા કે તે માટે કેાઈ પણ વ્યવસ્થિત ચેાજના અથવા વિધાન નથી રચતા, તેઓ તત્ત્વજ્ઞાન કે આત્મધ્યાનના નામે બીજી ગમે તેટલી સાધનાઓ, ક્રિયાઓ કે પ્રક્રિયાઓ બતાવે, તે પણ મૂળ વિનાના વૃક્ષ જેવી કે પાયા વિનાના મહેલ જેવી સમજવી. જૈન શાસનમાં પ્રતિક્રમણ માટે મુખ્ય અને પ્રસિદ્ધ શબ્દમિચ્છા મિ દુક્કર છે. તેથી કોઈ પણ કાઈ ભૂલ થતાંની સાથે જ તેને પ્રયાગ કરવામાં આવે છે. તેમાં મને ક્ષમા કરો કે (વેરી સેરી )—હું દિલગીર છું, વગેરે શબ્દપ્રયાગ કરતાં ઘણા માટે અર્થભાવ રહેલો છે. નિયુક્તિકાર ભગવાન તેનું પદભજન કરતાં કહે છેઃ મનથી અને કાયાથી નમ્ર બનીને દાષાને દૂર કરવા માટે મારાથી થયેલ દુષ્કૃતને હું' પશ્ચાત્તાપ સહિત ખાળી નાખુ છું, અર્થાત્ મારી ભૂલથી, હું કી તેવી ભૂલ નહિ કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy