SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ કયું? એ બન્નેય વાતને ઉત્તર આપણને પ્રતિક્રમણ શબ્દમાં મળી આવે છે. પ્રતિક્રમણકિયા ભૂલરૂપી વિષને વધતું અટકાવે છે, તેમજ તેને મારીને શુભભાવરૂપી અમૃતને ઉત્પન્ન કરે છે અને તે દ્વારા કરેગને મૂળમાંથી ઉછેદ કરી જીવને અજરામર બનાવે છે. જે એ ક્રિયાને અમલ કરવામાં ન આવે તે એ વિષ મરવાને બદલે વધતું જાય છે અને એ વધેલું વિષ ભૂલ કરતી વખતના દોષ અને તેના વિપાક કરતાં શત–સહસ્ત્રકેટિગણું અધિક ષ અને વિપાક આપનારું થાય છે. શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે ભૂલ થવાને કાળે જે દોષ લાગે છે તે દોષ–તે ભૂલને કબૂલ કરવામાં ન આવે (તે ભૂલથી પાછા ફરવામાં ન આવે), તે પરિણામે અનંતગુણા દારુણ વિપાકને આપનાર થાય છે. તેટલા માટે ભૂલ થવાની સાથે તેને સ્વીકાર કરી લેવું અને તેનાથી પાછા ફરી જવું એ ધમમાત્રની ફરજ થઈ પડે છે. અનાય સંસ્કૃતિ પણ સુધરેલા મનુષ્ય કે ઉત્તમ સગ્રહ (સીવીલાઈઝડ મેન) તરીકે ગણાવાનો અધિકાર તેને જ આપે છે, કે—જેઓ પોતાની ભૂલ થતાંની સાથે જ “વેરી સેરી.” એકસકયુઝ મી,” “પરટેન પ્લીઝ,”—દિલગીર છું, ક્ષમા કરે, મહેરબાની કરીને માફી આપે....એ શબ્દો કહીને ભૂલથી પાછા ફરે છે. આ સંસ્કૃતિને પામેલા અને જીવનમાં ધર્મને સર્વસ્વ * तथा स्खलितप्रतिपत्तिरिति । स्खलितकाले दोषात् अनन्तगुत्वेन दारुणपरिणामत्वात्तदप्रतिपत्तेः । धर्मबिन्दु अ. ५, सूत्र २१ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy