SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હ પદા અને તેની અસરરૂપ છે. તેથી તેનેા ક્ષય કેવળ માનસિક વિચારણા, કે કેવળ માનસિક ક્રિયાએથી થતા નથી, પણ જે જે દ્વારાથી તે પૌદગલિક મેાં આવે છે, તે તે દ્વારા બંધ કરી, આવતાં નવાં કર્યાં રેકી દેવાં અને પ્રથમનાં કર્માંને ક્ષય કરવા માટેના ઉદ્યમ પણ આવશ્યક છે. એ ઉદ્યમ જ્ઞાન અને ક્રિયા ઉભયના સ્વીકાર વડે થાય છે. સમ્યજ્ઞાનથી મિથ્યા ભ્રમ ટળે અને સમ્યક ક્રિયાથી પૌદ્ગલિક કમના અંધ શિથિલ થાય છે. પાપ ક્રિયાથી જેમ કર્મોના બંધ થાય છે, તેમ સવર અને નિરાસાધક ક્રિયાથી ક્રર્માના બંધ અટકે છે અને જૂનાં ક નષ્ટ થાય છે તથા અંતિમ કક્ષય પણ યાગનિરોધરૂપ ક્રિયાથી થાય છે. જ્ઞાનયિામ્યાં મોક્ષ:। એ સૂત્રનુ આ તાત્પ છે, જ્ઞાનાભ્યાસ વડે જીવ અને કમને યથાસ્થિત સુખ'ધ સમજાય છે અને તપ અને સંયમરૂપ ક્રિયાભ્યાસ વડે પૂર્વકમ ખપે છે, તથા આવતાં નવીન કમ રોકાય છે. કમને પૌગલિક માનવા છતાં જેએ તેને સંબંધ સક ચુકવત્ (સર્પની ઉપરની કાંચળીની જેવા ) કે ચન્દ્રાબ્રવત્ (ચંદ્રના ઉપર વાદળાની જેવા માને છે) અથવા કઈ એ પરદ્રવ્ય છે, તેથી જીવને કાંઈ કરી શકે જ નહિ એવા એકાંતવાદ અંગીકાર કરે છે, તેઓ જૈનમતના એક અશ માનવા છતાં અન્ય અ’શના અપલાપ કરે છે, તેથી જૈન નહિ પણ જૈનાભાસ અની જાય છે. ક્રર્માં ક્ષય કરવા માટે જે જાતિને ઉદ્યમ થવા જોઇએ, તે જાતિના ઉદ્યમ તેઓથી થઈ શકતા નથી. વસ્તુતઃ ક જીવને કેવળ અડીને રહેલાં નથી, પરંતુ પરસ્પર અનુવેધને પામેલાં છે. તેથી પુદગલની અસર તળે આવેલે જીવ કથ`ચિત્ જડસ્વરૂપ અનેલા છે. એની એ જડતા કેવળ અજ્ઞાનસ્વરૂપ છે એમ નથી પણ પ્રમાદરૂપ પણ છે. પ્રમાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001526
Book TitlePratikramanni Pavitrata
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Dhurandharvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages68
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Sermon, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy