________________
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળનો હવે પછી ટૂંક સમયમાં પ્રકટ થનાર
યાદગાર ગ્રંથ नमस्कार स्वा ध्या य
प्राकृत विभाग નમસ્કારવિષયક એક અદ્વિતીય અભ્યાસગ્રંથ (Reference Book
છેલ્લાં છ વર્ષથી જેનું સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને જેની પૂછપરછ-માગણીઓ પણ ખૂબ વધતી રહી છે તે દળદાર ગ્રંથ “નમસ્સાર સ્વાધ્યાયનો પ્રથમ પ્રાકૃત વિભાગ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. અત્યારસુધીમાં નમસ્કારવિષયક જે સાહિત્ય પ્રકટ થયું છે તેમાં તે વિશિષ્ટ હશે; કારણકે તેની રીતિનો એ સૌથી પ્રથમ જ ગ્રંથ છે.
નમસ્કાર મહામંત્ર” અંગેના સાહિત્યની અને તેનું મહત્ત્વ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરવા માટે યથાર્થ આમ્નાય જાણવાની તેમજ સમજવાની સમાજમાં હમણાં હમણાં ખૂબ ભૂખ જાગી છે; અને એવે ટાણે આવો માહિતીપૂર્ણ સંગ્રહાત્મક ગ્રંથ પ્રકટ થાય એ અતિ ઉપયોગી અને આવકારપાત્ર નીવડશે. ચૌદ પૂર્વના સાર તરીકે વર્ણવાયેલ આ પરમમંત્રની આરાધના કરતા પહેલાં તેનું બધી જ દૃષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન મેળવવું આવશ્યક છે. એ દૃષ્ટિ સામે રાખીને અતિ શ્રમપૂર્વક આ કોષ–ગ્રંથ (Encyclopaedia) તૈયાર કરવામાં આવ્યો છે. આગમોથી માંડી અત્યારસુધીમાં જે કાંઈ લખાયું છે તે સંશોધનની દૃષ્ટિએ તારવીને પ્રસ્તુત ગ્રંથમાં ગુજરાતી અનુવાદ સાથે રજૂ કરવામાં આવ્યું છે. માત્ર જૂજ નકલો છપાવી હોવાથી ઑર્ડરો તાત્કાલિક નોંધાવવા વિનંતી છે.
આઠ પેજી કાઉન સાઈઝનાં આશરે ૬૦૦ પૃ૪, ૫૦ જેટલાં રંગીન-અરંગીન યંત્રો તથા ચિત્રો અને કલામય જેકેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org