SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૩૨ આથી કરુણાભાવને પુષ્ટ કરનાર વિપાકવિચય ધ્યાન પણ ધ્યાનમાર્ગના અભ્યાસી માટે ખૂબ જ આવશ્યક છે. (૪) સંસ્થાનવિચય ધ્યાન અને માધ્યસ્થભાવના – સંસ્થાન વિચય ધર્મધ્યાનમાં સર્વ લેકનું સ્વરૂપ અને પદાર્થના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આદિનું ચિંતન કરવાનું હોય છે. તેના દ્વારા સાધકને જડ-પુદ્ગલ પદાર્થો પ્રતિ અને જીવોના દે પ્રતિ માધ્યસ્થ ભાવ ઉત્પન્ન થાય છે. જેથી ચિત્તમાં તે જીવે પ્રતિ પણ મૈત્રીભાવ અખંડ રહે છે અને સમતાભાવની વૃદ્ધિ થાય છે. ચેથી આ માધ્યસ્થ ભાવનામાં યેય તરીકે દોષાધિકત્વ હોવાથી, તેના દ્વારા જીવના દે પ્રત્યે જ માધ્યસ્થભાવ કેળવવાને હોય છે. ઉપેક્ષાને પાત્ર દોષી નહિ પણ દોષે છે, પાપી નહિ પણ પાપ છે. જીવ માત્ર તે મૈત્રી આદિને જ પાત્ર છે. કઈ પણ જીવ તરફ ઉપેક્ષા કે દ્વેષવૃત્તિ દાખવવાથી મહામહ-મિથ્યાત્વ કર્મનું સર્જન થાય છે. જીવ માત્ર પ્રત્યે મૈત્રીપૂર્ણ દૃષ્ટિ ઊઘડતાં આ બધી ભાવનાએ સુસાધ્ય બને છે. આથી પ્રથમ આજ્ઞાવિય ધર્મધ્યાન છે. આજ્ઞાના અભ્યાસીને સર્વ જી સ્વતુલ્ય હોવાનું શાસ્ત્ર-સત્ય સ્પશે જ છે અને તે પછી તે આજ્ઞા પાળવામાં પાવર બનીને ધર્મધ્યાનના શિખરે પહોંચવાની યોગ્યતાવાળે બને છે. આ રીતે આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જીવમત્રી આદિ ભાવનું ધ્યાન પણ સમાયેલું છે. આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનમાં મિત્રી આદિ ભાવો સમાયેલા છે તે જ રીતે જિનેશ્વર પરમાત્માની પિંડસ્થ આદિ અવસ્થાઓના ચિતનમાં પણ મૈત્રી આદિ ભાવો સમાયેલા છે. એટલે જિનેક્ત કોઈ પણ વચનનું સમ્યફ પ્રકારે ચિતન કરનારને તે ભાવની સ્પર્શન થાય જ છે, જે ભવપરંપરાનાશક છે. ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ – “પપાતિક સૂત્રમાં ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ બતાવી છે : (૧) અનિત્યત્વ ભાવના, (૨) અશરણત્વ ભાવના, (૩) એકત્વ ભાવના અને (૪) સંસાર ભાવના. ધર્મધ્યાનાથી અત્યંત ભાવિત ચિત્તવાળા મુનિરાજ ધ્યાનના અંતે અને નવેસરથી ધ્યાનારૂઢ થતા પહેલાં ધ્યાનમાં સહાયક અને પ્રેરક અનિત્યાદિ જે ભાવનાઓનું ચિંતન કરે છે તે અનુપ્રેક્ષા તેમને “ક” અને “ જના દ્વથી સર્વથા પર રહેવાનું બળ પ્રદાન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy