SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन નિરાકાર ઉપયોગ વસ્તુના સામાન્ય સ્વરૂપને બતાવે છે, તેને “દર્શન ” પણ કહે છે – તે અભેદગ્રાહક છે. આ બંને પ્રકારના ઉપયોગ પ્રત્યેક સંસારી જીવમાં ઓછા-વધતા પ્રમાણમાં અવશ્ય હોય છે અને સિદ્ધાત્માઓને તે સંપૂર્ણ રીતે શુદ્ધ અને પ્રગટ હોય છે. આમ ઉપયોગ (ચેતના) એ જીવનું સ્વરૂપદર્શક લક્ષણ છે, તેથી તે ત્રણે કાળમાં સર્વ જીવમાં વ્યાપકરૂપે અવશ્ય હોય છે. ઉપગ વિનાને જીવ કયારેય હોતું નથી, તેમજ જીવ સિવાય બીજા કેઈ દ્રવ્ય(પદાર્થ)માં તે ઉપગ (સંવેદનાત્મક શક્તિ ) હેતે નથી. જીવનું બહિરંગ લક્ષણ “ઉપગ્રહ છે. એનાથી પ્રત્યેક જીવને અન્ય સર્વ જીવે સાથે પરસ્પર કર્યો સંબંધ છે, તેને બંધ થાય છે. ઉપગ્રહ એટલે જીવને પરસ્પર – એક બીજાના હિતાહિતમાં નિમિત્તભૂત બનવાન. સ્વભાવ. ૦ ચિતન્ય શક્તિના તારતમ્યને લઈને જેમ “ઉપયોગ માં તારતમ્ય હોય છે, તેમ ઉપગ્રહમાં પણ તારતમ્ય હોય છે, એટલે આ બંને લક્ષણે દરેક જીવમાં હોય જ છે ઉપગ્રહ” નો પ્રયોગ ઉપકાર, સહાય અર્થમાં પણ થાય છે. જેમકે – જે સાધુ ગચ્છના સાધુઓને ભેજન, શ્રુત આદિના દાન વડે ઉપકાર કરે છે, તે સાધુ ગચ્છને ઉપગ્રહકારક છે, પરંતુ “તવાર્થ સૂત્ર” માં જે પરસ્પર ઉપગ્રહ કરવાનો જીવ માત્રને સ્વભાવ જણાવ્યો છે. તેને અર્થ તત્ત્વાર્થ ભાષ્ય અને વૃત્તિમાં આ પ્રમાણે કરેલો છે? 'परस्परस्य हिताहितोपदेशाभ्यामुपग्रहो जीवानामिति । ' * હિતના પ્રતિપાદન અને અહિતના નિષેધ દ્વારા જીવન પરસ્પર “ઉપગ્રહ” (ઉપકાર) થાય છે. જેવી રીતે જીવ પરસ્પર-એકબીજાને ઉપકારક બને છે, તેવી રીતે અન્ય પુદ્ગલાદિ પદાર્થો પરસ્પર ઉપકારક બનતા નથી. પુદ્ગલાદિ અન્ય દ્રવ્યને ઉપકાર એકપક્ષીય છે. અન્ય દ્રવ્યને તે ઉપકારક બનનાર પુદ્ગલાદિ દ્રવ્યને તે ઉપકારના બદલામાં. કોઈ લાભ-હાનિ થતાં નથી. જીવ સિવાયના અન્ય દ્રવ્યોમાં ભાવના આદાન-પ્રદાનની સ્વાભાવિક ક્ષમતા (શક્તિ) હેતી નથી. ફક્ત જીવ જ જીવના ઉપકારક સ્વભાવને પ્રતિનિધિ છે. મિત્ર-છવ સન્માર્ગ બતાવીને તેમજ અન્ય આપત્તિઓના વિવિધ પ્રસંગે મદદ દ્વારા ઉપગ્રહકારક નીવડે છે. ० परस्परोपग्रहो जीवानाम् २१-५. --તત્વાર્થ સૂત્ર. * તસ્વાર્થ ભાષ્ય પૃ. ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy