SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રંતું જ્યાં પ્રા ! હેય છે, ત્યાં મન અવશ્ય હોય છે. તેથી મનની સ્થિરતા થતાં સહેજ રીતે જ પ્રાણવૃત્તિ સ્થિર થઈ જાય છે. ધ્યાનમાં મન જ્યારે અત્યંત સ્થિર બને છે, ત્યારે વિકલ્પ અનુક્રમે સૂક્ષમ અને અવ્યક્ત ધ્વનિરૂપને ધારણ કરે છે. તેને “અનાહત નાદ’ કહે છે, તે ધ્વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત શાન્ત અને નિર્મળ બનતાં જ્યારે તે આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય છે, ત્યારે નાદનું શ્રવણ સ્વતઃ બંધ થઈ જાય છે. (૧૩-૧૪) તારા–પરમ તારાકાસગં ધ્યાનમાં રહેલા સાધકની સ્થિર નિશ્ચલ દષ્ટિને “તારા ધ્યાન” કહે છે, આ તારા ધ્યાનના સતત અભ્યાસના પરિણામે અનુક્રમે પરમ તારા ધ્યાન સિદ્ધ થાય છે, તેમાં એક જ શુષ્ક પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય છે. કાયોત્સર્ગમાં મન-વચન અને કાયા–ત્રણે યોગોની સ્થિરતા થતી હોવાથી તેને માનસિક, વાચિક અને કાયિક દયાનરૂ૫ માન્યું છે. દષ્ટિની સ્થિરતા–નિશ્ચલતા એ મનની સ્થિરતા-નિશ્ચલતામાં સહાયક બને છે. કાયેત્સગ પાંચમું આવશ્યક છે અને અત્યંતર પરૂપ છે, તેમાં કાયાને તદ્દન શિથિલ (ઢીલી) અને સ્થિર રાખી, મૌનપણે, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાન્ત કરી, અરિહંતાદિનું ધ્યાન કરાય છે. કાસમાં યમ-નિયમ આદિ અષ્ટાંગ યોગ સમાયેલ છે, તેથી ચતુર્વિધ શ્રી સંઘ એ કાર્યોત્સર્ગ દ્વારા ધ્યાન અને સમાધિનો યોચિત અભ્યાસ કરી શકે છે અને એ હેતુથી જ ચૈત્યવંદન-પ્રતિક્રમણ આદિ આવશ્યક અનુષ્ઠાનોમાં કાર્યોત્સર્ગનું વિધાન છે (૧૫-૧૬) લય–પરમલય : બાહ્ય દૃષ્ટિની નિશ્ચળતા તારા અને પરમતારા ધ્યાન દ્વારા બતાવીને હવે આ લય–પરમલય દયાન દ્વારા આંતર દષ્ટિની લીનતા જણાવે છે. વજલેપના યોગથી વસ્તુ પણ વાતુલ્ય બની લાખે વર્ષ સુધી ટકે છે, તેવી રીતે સાધકને અરિહંત પરમાત્મા આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં, તે પરમાત્મ સ્વરૂપમાં લીન બની જાય છે. તેને લય ધ્યાન કહે છે. શરણાગતના ચિત્તનું ૯ કાયોત્સર્ગના પ્રતિજ્ઞા સૂત્ર-અન્ન સૂત્રમાં–તાવાર્થ તાળ” પદ દ્વારા યમ-નિયમ આસન અને પ્રાણાયામ “ળ” પદ દ્વારા પ્રત્યાહાર સૂચિત થાય છે. કાળ” પદદ્વારા ધારણું અને ધ્યાન સૂચિત થાય છે. “મMાનું વોસિરાનિ' પદ દ્વારા સમાધિ સુચિત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy