SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૨૧ ] દાનવિઘાર-વિલેજ આ ચારિત્રની શુદ્ધિ અને સ્થિરતા જેમ-જેમ વધતાં જાય છે તેમ-તેમ ધ્યાનની નિશ્ચળતા વધતી જાય છે અને તેના પ્રભાવે કર્મોનો ક્ષયનું કાર્ય વેગવંત બનતું જાય છે, બધા બાહ્ય આવેગે તદ્દન શાન્ત પડી જાય છે. મનની ચાર અવસ્થાઓ અને પ્રણિધાનાદિ પ્રણિધાનાદિ ચારે પ્રકારમાં અનુક્રમે મનને વ્યાપાર સૂક્ષમ-સૂક્ષમતર બનતે હોય છે. પ્રણિધાનમાં અશુભ ચિત્તવૃત્તિને નિરોધ થાય છે અને સમાધાનમાં શુભ ચિત્તવૃત્તિને પ્રવાહ ચાલે છે, તેથી ચિત્તની વિક્ષિપ્ત અને યાતાયાત અવસ્થાને અહીં અભાવ હોય છે. સમાધિમાં રાગ-દ્વેષના પ્રસંગે પણ માધ્યશ્ય-સમભાવ રહે છે, તેથી ત્યાં ચિત્તની સ્થિર અને આનંદમય એવી “કિલષ્ટ અવસ્થા હોય છે. “કાકા’માં મન અત્યંત એકાગ્ર બની જતું હોવાથી ત્યાં શ્વાસોચ્છવાસની ગતિ પણ સૂકમ બની જાય છે, તેથી મનની “સુલીન” અવસ્થા હોય છે અર્થાત્ અતિ નિશ્ચલ અને પરમાનંદમય મનની સ્થિતિ હોય છે. આ રીતે મનની ચાર અવસ્થાઓ પૈકી લિષ્ટ અને સુલીન અવસ્થાને પ્રણિધાનાદિમાં સદ્દભાવ હોય છે. ઉપર જણાવેલ “પ્રણિધાન વગેરેના સંબંધમાં અનુક્રમે શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવતી, દમત મુનિ તથા પુષ્પભૂતિ આચાર્યનાં દષ્ટાન્ત છે. ભવનોગ મૂળપાઠ-ઘરે મટે ફુવ રમાન ગાયનાના મવનારા અર્થ --પૂર્વોક્ત (ગ, વીર્ય આદિ) ૯૬ ધ્યાનના પ્રકારો મરુદેવી માતાની જેમ સહજ રીતે ઉત્પન્ન થાય, તે તે “ભવનગ” કહેવાય છે. વિવેચન – “ભવનયોગમાં સહજ સ્વભાવથી-નૈસર્ગિક રીતે થતા ધ્યાનયોગનો નિર્દેશ થયો છે, તે આત્મામાં રહેલી સર્ગિક-સ્વાભાવિક ધ્યાનશક્તિને સુચિત કરે છે. શ્રી સ્વાર્થ સૂત્રકાર ભગવંતે – “તનિસર્ગદધિગમાદુ વા—આ સૂત્ર દ્વારા સમ્યગૂ દર્શન ગુણના પ્રગટીકરણના મુખ્ય બે હેતુ બતાવ્યા છે. (૧) નિસર્ગ, (૨) અધિગમ. (૧) નિસર્ગ એ અંતરંગ હેતુ છે. ઈ જીવને બાહ્ય હેતુ વિના પિતાના જ શુભ આત્મપરિ સુમથી સમ્યગૂ દર્શન (આદિ) ગુણ પ્રગટે છે, તે નિસર્ગ-સમ્યગદર્શન છે. (૨) અધિગમ એ બાહ્ય હેતુ છે. કેાઈ જીવને ગુર-ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તની પ્રધાનતાએ અંતરંગ નિમિત્તથી સમ્યગૂ દર્શન ગુણ (આદિ) પ્રગટે છે, તે અધિગમ-સમ્યગુદર્શન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy