SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] ध्यानविचार - सविवेचन “અરિહંત પરમાત્મા, સિદ્ધ ભગવંતા, સાધુ મહાત્માએ અને કેવળીકથિત સુખદાયી ધમ-આ ચાર ચારગતિનાં દુઃખ હરનારા છે. ધન્ય પુરુષો જ તેએનુ શરણુ અંગીકાર કરીને નિર્ભય બને છે.૨૨ ચતુઃશરણુ ગમનમાં પાંચ પરમેષ્ઠીએ અને શાશ્વત નવપદની ઉપાસનાને અંતર્ભાવ થયેલા છે. પ્રથમ અને દ્વિતીય શરણમાં અરિહંત અને સિદ્ધ-આ બે પરમેષ્ઠી ભગવતાની ભક્તિ થાય છે. તૃતીય શરણમાં આચાય, ઉપાધ્યાય અને સાધુપદની ઉપાસના રહેલી છે, ચતુ શરણુ-ધ્રુવળાકથિત ધર્મ માં સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદની ઉપાસના રહેલી છે. બિનશરતી સમર્પણુ એ શરણાગતિ છે. વિશિષ્ટ ગુણી મહાપુરુષોના શરણે જવાથી આપણું રક્ષણુ થાય છે. (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ ભગવંતા, (૩) સાધુ મહાત્માએ અને (૪) કેવળીકથિત ધમ એ સર્વોત્તમ છે. સર્વ વિઘ્નવિદારક છે, સર્વ સિદ્ધિપ્રદાયક છે, કલ્પનાતીત સુખના પ્રદાતા છે, પરમ મ‘ગલસ્વરૂપ છે, સકલ જીવલેાકના યેાગ અને ક્ષેમના કારક છે. માટે આ ચારેયના શરણે આવેલાની સર્વ પ્રકારે રક્ષા થાય છે. ચક્રવતી ના શરણે આવેલાને ખંડિયા રાજ કાંઈ કરી શક્તા નથી, તેમ આ ચારના શરણમાં રહેલાને ચક્રવતી કે દેવેન્દ્ર પણ કાંઈ કરી શકતા નથી-એટલું જ નહિ પણ તેઓને આદર કરે છે. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પેાતાના યોગશતક' ગ્રંથમાં ફરમાવ્યું છે કે—“અરિહ ંતાદિ ચારે ગુણાધિક હોવાથી તેમનું સ્મરણ, શરણુ અને ધ્યાન વગેરે કરતાર સાધકનું અવશ્ય રક્ષણ થાય છે.” આ ચાર તત્ત્વાના એવા વિશિષ્ટ સ્વભાવ છે કે જે કંઈ સાધક તેમનું સ્તવન, કીર્તન, શરણુ અને ધ્યાન કરે, તેનાં કિલ-કર્મા અને સકળ વિઘ્ના નાશ પામી જાય છે અને તેને પરમ શાન્તિ મળે છે.૨૩ ‘પ'ચસૂત્ર'માં ચતુઃશરણાદિકને પાપના પ્રતિઘાતનુ અને ગુણના ખીજધાનનું પ્રધાન કારણુ ગણ્યું છે. અને હેતુ એ છે કે શરણાગતિભાવ એ પરમ ભક્તિયોગ છૅ અને ભક્તિયોગ એ સ યોગાનું પરમ બીજ છે. સહજ સમાધિરૂપ લય અવસ્થાનું પ્રધાન સાધન છે. શક્રસ્તવ'માં સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ અનન્ય શરણ્ય શ્રીઅરિહંત પરમાત્મા પ્રત્યેના શરણાગતભાવને વ્યક્ત કરતાં કહે છે : હું પ્રભા ! આપ જ સર્વ લેાકમાં ઉત્તમ છે, આપની સરખામણીમાં આવી શકે એવી ક્રાઈ વ્યક્તિ આ વિશ્વમાં નથી, એથી જ આપ અદ્વિતીય છે, નિરુપમ છે, આપ જ શાશ્વત મંગલ સ્વરૂપ છે. સિદ્ધ, સાધુ અને સદ્દમ મય આપ જ છે, માટે હું આપનું જ શરણ સ્વીકારુ છું.” ૨૪ २२. अह सो जिणभत्तिभरुच्छंत रोमांच कंचुअ - करालो । यद्दरिस पणउम्मीसं सीसंमि कथंजलि भणइ ॥ अरिहंत सिद्ध साहु केवली -- कहिओ सुहावहो धम्मो । ए ए चउरो चउगइ - हरणा सरणं लहइ धन्नो || ૨૩સરવયના; ગાથા-૧. २३. न हो अतश्चतुष्टयादन्यच्छरण्यमस्ति गुणाधिकस्य शरणत्वात्, गुणाधिकत्वेनैव ततो रक्षोपपत्तेः, रक्षा चेह तत्तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिरिति । -યોગરાત સ્કોવસવૃત્તિ; નાથા ૦. —ગુખ્તવ; જ઼ૉ.-૨. २४. लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मंगलमप्यधीश । त्वामेकमन् । शरणं प्रपद्ये, सिद्धर्षिसद्धर्ममयस्त्वमेव ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy