SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ _ છ, ध्यानविचार-सविवेचन “ચૈત્યવંદનની વિધિમાં વીતરાગ પરમાત્માનાં દર્શન–વંદન-પૂજન-કીર્તન આદિ કરતી વેળાએ સાધકે પોતાની દષ્ટિને પ્રભુ-સન્મુખ સ્થિર રાખવાની છે. પ્રભુની મુખમુદ્રાને સન્મુખ દિશા સિવાય બીજી કઈ દિશા તરફ ન જેવું, એ “ત્રિદિશિ નિરીક્ષણ ત્યાગ નામની દશ ત્રિકમાંની એક ત્રિક છે. જિનેશ્વર પરમાત્માના મુખ-કમલ ઉપર દષ્ટિને સ્થિર રાખવાથી મન પ્રભુના ઉપયોગમાં–દયાનમાં સરળતાથી એકાગ્ર બની શકે છે. બીજા સર્વ વિકાને છેડી દઈને મનને પ્રભુના દર્શનમાં જ જેડી દેવાથી અપૂર્વ માનસિક શાન્તિ અને પ્રસન્નતાને તત્કાળ અનુભવ થાય છે. ચૈત્યવંદનાદિ ધાર્મિક અનુષ્ઠાનોમાં દૃષ્ટિની સ્થિરતા-નિનિમેષતાને અભ્યાસ સાધકને કાયેત્સર્ગમાં નિમિષતાથી દષ્ટિરૂપ “તારા ધ્યાન સિદ્ધ કરવામાં ખૂબ જ સહાયક બને છે. અપ્રમત્ત અવસ્થામાં ધયાનઃ નિશ્ચલ અને દઢ પર્યકાસન કરીને, નાસિકાના અગ્રભાગ પર (બિન્દુ-ગ્રથિ ઉપર) નેત્રોને સ્થાપિત કરીને, કંઈક ખુલાં અર્ધ નયનવાળા, કલ્પના-જાળથી રહિત મનવાળા, સંસાર-પરિભ્રમણને ટાળવા માટે અત્યંત ઉત્સુક બનેલા મુનિ, નિશ્ચલ–ધ્યાન કરવાને પ્રારંભ કરે છે.” ઉપરોક્ત ધ્યાન–પ્રક્રિયામાં પણ અર્ધ ખુલ્લાં નેત્રોને નાસિકાગ્રસ્થાને સ્થાપિત કરવાનું સૂચવ્યું છે, તેથી સિદ્ધ થાય છે કે દૃષ્ટિની નિશ્ચલતા કાયોત્સર્ગ–ધ્યાનમાં અત્યંત જરૂરી છે. કાયોત્સર્ગસ્થિત સાધકની દૃષ્ટિ સ્થિર બનવાથી તેને “લય–ધ્યાનમાં પ્રવેશ થાય છે, તેથી “તારા ધ્યાન” એ “લય–ધ્યાનને સેતુ (પુલ) બની રહે છે. તારા ધ્યાન” કાર્યોત્સર્ગ–મુદ્રાએ થતું હોવાથી તત્ત્વતઃ એ કાસગ–સ્વરૂપ છે. કાયોત્સર્ગમાં લય–ગને સિદ્ધ કરવાની ગૂઢ-શક્તિ રહેલી છે, એ તે નિર્વિવાદ સિદ્ધાન્ત છે કેમકે શ્રી તીર્થકર, ગણધર ભગવંત આદિ ઉત્તમ પુરુષ કાત્સર્ગ– મુદ્રાએ ધ્યાનમાં રહીને કેવળજ્ઞાન અને મુક્તિ-સુખ પ્રાપ્ત કરે છે. १९. उड्ढाहोतिरिआणं ति-दिसाण निरिक्खणं चइज्जहवा । पच्छिम-दाहिण-वामाण जिणमुहन्नत्थदिद्विजुओ ॥ –ચૈત્યગ્રંવનમાંડ્યું, નાથા-૨૨, २०. निष्प्रकम्पं विधायाथ दृढं पर्यकमासनम् । नासाग्रदत्त-सन्नेत्रः किंचिदुन्मीलितेक्षणः ॥ विकल्पवागुराजालाद्दुरोत्सारितमानसः । संसारोच्छेदनोत्साहो योगीन्द्रो ध्यातुमर्हति ।। –ગુજાથાનત્રમારોહ; ઢો ૨-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy