SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] ध्यानविचार-सविवेचन શજોધ્યાન મૂળપાઠ –શૂન્યું-વિનાયત ઘરમ: શ્વયં શિસ્તવાદ્રિના પ્રાધા खित्तेदितुम्मत्ते राग-सिणेहाइभयमहडव्वत्ते । निदाइ-पंचगेणं बारसहा दव्वसुन्न ति ।। भावतो व्यापारयोग्यस्यापि चेतसः सर्वथा व्यापारोपरमः ॥ અર્થ –જેમાં “ચિંતાને ઉપરમ (અભાવ) હોય તેને શૂન્ય કહેવામાં આવે છે. તેના બે ભેદ છેઃ (૧) દ્રવ્યશૂન્ય તથા (૨) ભાવશૂન્ય. તેમાં “દ્રવ્યશૂન્યના “ક્ષિતચિત્ત વગેરે આ પ્રમાણે બાર ભેદો છે -(૧) ક્ષિસ, (૨) દીપ્ત, (૩) ઉન્મત્ત, (૪) રાગ, (૫) નેહ, (૬) અતિભય, (૭) અવ્યક્ત, (૮) નિદ્રા, (૯) નિદ્રા-નિદ્રા, (૧૦) પ્રચલા, (૧૧) પ્રચલા-પ્રચલા અને (૧૨) સ્થાનદ્ધિ. ભાવશન્ય – ચિત્ત (શુભાશુભ વિચારાદિરૂ૫) વ્યાપારને યોગ્ય હોવા છતાં તેના તેના પાપારને સર્વથા ઉપરમ કરવામાં આવે તે “ભાવશૂન્ય” કહેવાય છે [અર્થાત્ ચિત્તવૃત્તિઓની સર્વથા નિવૃત્તિ થવી તે “ભાવશન્ય ધ્યાન કહેવાય છે]. વિવેચન – લાકડીના માર કરતાં અશુભ વિચારને માર માણસને અધિક બેહાલ બનાવે છે, પિતાના તન, વચન અને મનને શુભ વ્યાપારમાં જોયા પછી શુદ્ધમાં લઈ જવા માટે એ ત્રણેને શાન્ત-મૌન કરવાં પડે છે. આમ કરવાથી સાચ-પૂરો “વિરામ માણવા મળે છે. આ વિરામ સર્વ શુભાશુભ વિચારોથી સર્વથા વિરમેલા પૂણું પરમાત્માના ચરણકમળમાં મળે છે કારણ કે તેઓશ્રી રાગદ્વેષથી સર્વથા મુક્ત છે. માટે આત્મસ્વભાવમાં રમણતા કરવા સર્વ પ્રથમ સર્વથા શુદ્ધ-પૂર્ણ પરમાત્માના ચારે નિક્ષેપએની અનન્યભાવે રાધના કરવાની શાસ્ત્રજ્ઞા છે. જેનો આપણે પ્રથમ દયાનભેદમાં સારી રીતે વિચાર કર્યો છે. તે આરાધનાને અભ્યાસ વધતાં આરાધક પોતે આરાબ આત્મસ્વરૂપે પિતાને જેતે, જાણો તેમજ માણતા થાય છે. તે જ ભાવશૂન્ય (વિક૯પરહિત) દશા છે. ભાવશૂન્ય-ધ્યાનમાં ચિત્તના ચિંતન-વ્યાપાર સર્વ ઘા શાન્ત થઈ જાય છે. ચિત્ત ચિંતન-વ્યાપાર માટે સમર્થ હોય છે ત્યારે તેને આત્મવીર્ય–આત્મશક્તિની પ્રબળતા વડે સંકલ્પ–વિક૯૫ રહિત બનાવવું એને જ “ભાવશૂન્ય' ધ્યાને કહે છે. અમનગ, ઉનીભાવ, નિર્વિકલ્પ અવસ્થા કે પરમૌદાસીન્ય વગેરે “ભાવશૂન્ય' અવસ્થાના સૂચક પર્યાયવાચી નામો છે. સર્વ પ્રકારના સવિકલ્પ યાનનું અંતિમ ફળ નિર્વિકપ દશાને યોગ છે અને તે જ શુદ્ધ આત્મસ્વભાવનો સુયોગ છે. આ અવસ્થાને પામેલે દયાતા-આત્માને જે સ્વભાવ છે તેમાં જ મગ્ન રહે છે અર્થાત દેહાદિ પર પદાર્થોના ધમથી સર્વથા પર બની જાય છે. સર્વ સંજોગોમાં સર્વ પ્રકારની અવસ્થાએ અશુભ-વિક હેય-ત્યાજ્ય છે જ, પણ પરમધ્યાન –ગિરિના ચરમ શિખરે આરોહણ કરવામાં શુમ-વિક પણ ભારરૂપ (બાધક) નીવડે છે, જેમ હિમગિરિના ઉત્તગ શિખરે ચઢનારાને પોતાનાં વસ્ત્રો પણ ભારરૂપ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy