SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-सविवेचन [ ૩૭ નિશ્ચયનયથી સિદ્ધ સ્વરૂપી આત્માના આંશિક રસાસ્વાદને અનુભવ થાય છે મતલબનો સ્પષ્ટ નિર્દેશ ગપ્રદીપ’માં છે, તે આ પ્રમાણે – “આ શુકલધ્યાનથી મુક્તિરૂપ લક્ષમીને પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે યોગીએ સદૈવ રૂપાતીત તથા નિરાકાર એવું (આત્મા) ધ્યાન ધ્યાવવું.” રૂપાતીતધ્યાન-નિરંજન, નિરાકાર, ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. નિરંજન (સર્વકર્મહિત) સિદ્ધ સ્વરૂપના આલંબન દ્વારા નિરંતર તેમનું ધ્યાન કરનાર યોગી, ગ્રાહ્ય-ગ્રાહકભાવ અર્થાત્ “પરમાત્મા એ દયેય અને હું ધ્યાતા આ ભેદભાવની દીવાલને દૂર કરીને તન્મયતા પામે છે અર્થાત્ ધ્યાતા, ધ્યેય-સિદ્ધ પરમાત્મામાં લય પામી જાય છે, એટલે કે ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ બની જાય છે. સિદ્ધ પરમાત્મા સાથેની આ એકાકારતા એ જ “સમરસીભાવ' છે. પરમગસામ્રાજ્યના સમ્રાટે અનિશ આ ભાવમાં ઝીલતા હોય છે, ગને ઉલટાવતાં “ગ” થાય. “ગયો તે કયાં છે ? તે કે રાગ-દ્વેષરૂપ પરઘરમાંથી વીતરાગ– વિષરૂપ સ્વઘરમાં. આ યોગ–પ્રયોગના સતત અભ્યાસ પછી પરમાત્મા–મિલનની કળામાં કુશળતા પ્રાપ્ત થાય છે. પરમાત્મ-મિલનની કળા જ્યારે સિદ્ધ પરમાત્માના શુદ્ધ-સ્વરૂપના ચિંતનમાં ધ્યાતાની ચિત્તવૃત્તિ એકાકાર બને છે ત્યારે તેમનું ગદ્ય-ગુપ્તસ્વરૂપ અનુભવમાં આવે છે. પરમાત્મા કેવળજ્ઞાન ગુણ વડે સર્વવ્યાપી છે એટલે અનંત સિદ્ધ ભગવંતે અને કેવળજ્ઞાની ભગવતે પિતાના કેવળજ્ઞાન ગુણ વડે ધ્યાતાના પ્રત્યેક પ્રદેશે વ્યાપીને રહેલા છે અને તેમના ગુણચિંતનમાં તદાકાર બનેલો સાધક પણ તે સિદ્ધ ભગવંતે અને કેવળી ભગવંતના કેવળજ્ઞાનરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થયેલ છે. આ રીતે દયાતા અનંત સિદ્ધ સ્વરૂપ દયભાવને અનુભવી પરમ આત્મસ્વરૂપની પ્રતીતિ કરી, પરમાનંદને અનુભવ કરે છે–આ જ સાચું પરમાત્મ-મિલન છે, પરમાત્મસાક્ષાત્કાર છે. જ્યારે આપણી યોગ્યતા પરિપૂર્ણરૂપે ખીલે છે ત્યારે પરમાત્માના પરમ ગુપ્ત સ્વરૂપ સાથે તદાકારતા સધાય છે; પછી હું પરમાત્મા છું એ સત્ય અસ્થિમજજાવત્ બની જાય છે. * मुक्ति श्रीपरमानंदध्यानेनानेन योगिना। रूपातीतं निराकारं ध्यानं ध्येयं ततोऽनिशम् ।। -યોrpીપ, કરો. ૨૦૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy