SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આમસંબોધન ] { ૩૯ એક આત્મદર્શન સિવાય બીજું કાંઈ મોક્ષનું કારણ ન માન. अप्पा-दसणु एक्कु पर अण्ण ण कि पि वियाणि । मोक्खहं कारण जोइया णिच्छहि एहउ जाणि ।। १६ ।। નિજદર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત માન; હે યોગી ! શિવહેતુ એ, નિશ્ચયથી તું જાણુ. (૧૬) પ્રભો! પુણ્યવડે પણ મોક્ષ નથી પમાડે, તો પછી કઈ રીતે મિક્ષ પમાય છે? : -એવી શિષ્યની જિજ્ઞાસાના ઉત્તરમાં મોક્ષનું કારણ બતાવતાં કહે છે કે હે યોગી ! હે મોક્ષાર્થી! નિશ્ચયથી તું એક માત્ર પરમ આત્મદર્શનને જ મોક્ષનું કારણ જાણ; બીજુ કાંઈ પણ મેક્ષનું કારણ ન માન. જુઓ, આ મેક્ષના દરવાજા ખેલવાની રીત ! મોક્ષના દરવાજા કેમ ખુલે?——કે પિતાને મહા કિંમતી જે શ્રેષ્ઠ આત્મસ્વભાવ તેનું પરમ દર્શન, એટલે કે અંતર્મુખ થઈને શ્રદ્ધા-જ્ઞાન–અનુભવ તે જ મોક્ષને દરવાજે છે, તે જ શ્રેષ્ઠ છે, તેના સિવાય બીજું કાંઈ શ્રેષ્ઠ નથી, ને બીજુ કાંઈ મોક્ષનું કારણ નથી. અભેદરૂપ જે પરમ શુદ્ધ આત્મતત્વ, તેનાથી જુદા બીજા કોઈને મોક્ષનું કારણ ન માનવું. આત્મા સિવાય બીજા કોઈના આશ્રયે જરાપણ મેક્ષમાર્ગ નથી–આ શુદ્ધ -ચ -સ્પણ મોક્ષમાર્ગ છે. જે સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવ્યું, સન્તએ ચારિત્રદશા સહિત અંતરમાં જે અનુભવ્યું તે મોક્ષમાર્ગનું સ્વરૂપ જગત પાસે ખુલ્લું મૂક્યું છે કે હે ભવ્ય જીવો! અમે આવા માર્ગથી મોક્ષને સાચ્ચે છે, ને તમે પણ આ જ માર્ગે નિઃશંકપણે ચાલ્યા આવો. એક જ માર્ગ છે. જ્યાં મનની પહોંચ નથી...વચનની ગતિ નથી.કાયાની ચેષ્ટા નથી, વિકલ્પને જેમાં પ્રવેશ નથી એવું જે એક પરમ આત્માનું અચિંત્ય દર્શન...(જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-- ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે....) તે જ શ્રેષ્ઠ છે, તેને જ નિશ્ચયથી મોક્ષનું કારણ જાણે. તે આત્મદર્શનથી અન્ય એવા કેઈ પણ ભેદ-ભંગ-પરાશ્રયના ભાવને મોક્ષમાર્ગ જરાપણ ન માને. શુભરાગ વગેરેને માનું નિમિત્તે કહેવું તે માત્ર ઉપચાર છે, તે ખરેખર મેક્ષને માટે અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે, એટલે તેને બંધનું કારણ કહેવું તે યથાર્થ છે. હે ગી! નિશ્ચયથી આત્મદર્શનને જ તું મેક્ષનું કારણ જાણ.” જુએ, “યોગી” કહીને સંબોધન કર્યું છે, તેમાં બે વાત છે-એક તે શાસ્ત્રકાર “ગીચન્દ્રમુનિએ પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy