SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આતમસંબોધન | [ ૧૦૮] ગ્રંથરચનાનું પ્રયોજન : “આત્મસંબોધન संसारह भय-भीयएण जोगिचन्द-मुणिएण । अप्पा-संबोहण कया दोहा इक-मणेण ।।१०८॥ સંસારે ભયભીત જે યોગીન્દુ મુનિરાજ, એકચિત્ત દેહા રચ્યા આત્મસંબોધન કાજ. (૧૦૮) શ્રી જોગીચન્દ્ર-યોગીન્દુ મુનિ–જેઓ સંસારથી વિરક્ત વનવાસી સંત હતા, સંસારથી ભયભીત હતા, તેમણે આત્મસંબોધન અર્થે ચિત્તની એકાગ્રતા પૂર્વક આ ૧૦૮ દોહા રચ્યા છે. જે કોઈ જીવ સંસારથી ભયભીત હોય ને તેનાથી છૂટીને મોક્ષસુખ લેવા ચાહતા હોય, તે આ દેહામાં બતાવ્યા પ્રમાણે આત્માથી થઈને પરમાત્મતત્ત્વની ભાવના કરો તેની ભાવનાથી અત્યારે પણ પરમ શાંતિ થશે ને શીધ્ર મોક્ષસુખની પ્રાપ્તિ થશે. ' & ' છે, તે છે , પણ ન *** જુઓ તે ખરા...મુનિ કહે છે કે મેં “આત્મસંબોધન માટે આ શાસ્ત્ર રહ્યું છે, કુંદકુંદસ્વામી પણ નિયમસારમાં કહે છે કે આ નિયમસાર-શાસ્ત્ર મેં નિજભાવના માટે બનાવ્યું છે. પરમાનંદરૂપ વીતરાગસુખના અભિલાષી જ આ શાસ્ત્રોવડે પિતાના આત્માને આ રીતે સંબોધીને...પરમાત્મતત્વની ભાવનામાં ચિત્તને સ્થિર કરે. “હે આત્મા! જે પરમતત્વને તે જાણ્યું છે તેમાં તું સ્થિર થા!” હે વત્સ ! તારા આત્માની દયા લાવીને હવે તેને આ ભવદુઃખથી છોડાવ! ભવના દુઃખોથી ભરેલા આ અસાર સંસારથી હવે બસ થાઓ. હવે તે સારભૂત નિજસ્વરૂપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy