SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર” Ôાત્ર સ્વાધ્યાય : ૧૦૧ : એક વખતે પ્રિયકરના પાડોશી ધનદત્ત નામના કાર્ટિપતિ કે જે દાન આદિ ગુણેાથી નગરમાં શ્રેષ્ઠ હતા. તેની કીર્તિ નગરમાં પ્રસિદ્ધ હતી. તેને ધનશ્રી નામની પત્ની અને જિનદાસ તયા સામદાસ નામના બે પુત્રા તથા ચાર પુત્રીએ હતી. ધનદત્ત નવું મકાન બંધાવવાના શુભ મુહૂર્ત પ્રારંભ કર્યાં. કેટલાક દિવસે મકાન તૈયાર થઈ ગયું. વિજયમુહૂર્ત નવા ઘરમાં દેવાલયની સ્થાપના કરી અને દેવપૂજા, સંઘનું વાત્સલ્ય, અનુ. ક’પાદાન વગેરે કરી પરિવાર સહિત ધનદત્તે ત્યાં રહેવાના પ્રારંભ કર્યાં. ત્રણ દિવસ તે સુખપૂર્વક વ્યતીત થયા. ચેાથે દિવસે ધનદત્ત પેાતાના આવાસમાં સુખપૂર્વક સૂતા હતા તે સવારે જાગ્યા ત્યારે તેણે પેાતાને આંગણામાં પલંગમાં સૂતેલે જોયા. ધનવ્રુત્ત આશ્ચય પામ્યા કે આ શું! ખીજે દિવસે નવકારમંત્ર વગેરે ગણવાપૂર્વક મકાનના કમાડ સજ્જડ બંધ કરી તે સૂઇ ગયેા. સવાર પડતાં જ તેણે ગઈ કાલની માફ્ક પેાતાને પલગ સાથે બહાર સૂતેણે જોયે અને તે ચિન્તાતુર થઇ ગયા. ત્રીજે દિવસે ધૂપ વગેરે કરીને તે સૂઈ ગયા. સવારે પાછે! રાજની જેમ જ આંગણામાં પડેàા પેાતાને જોચે અને તે મનમાં અતિશય ખેદ પામ્યા. પેાતાના કુટુંબમાંથી કેઈપણુ તે મકાનમાં સૂવે તે સવારના આંગણામાં પહોંચી જ ગયેલે! હાય. આ જોઇ કુટુંબના બધા જ ભયભીત થઈ ગયા. હવે તે મકાનમાં કાઈ સૂતુ ન હતું. લાગ્યા. ધનદત્તે વિચાર્યું, કે આ આવાસ દુષ્ટ વ્યન્તરથી અધિષ્ઠિત થઈ ગયેા લાગે છે અને તેથી તેણે અનેક મન્ત્રવેદીએને મેલાવ્યા. તેએ મન્ત્રના ઉપચાર કરવા પરિણામ એ આવ્યું' કે વ્યન્તર વિશેષ કાપાયમાન થવા લાગ્યા અને તે મકાનમાં જે કોઈ દાખલ થાય તે મનુષ્યના શરીરને ઇજા કરવી તથા પુરુષને સ્ત્રીના વચ્ચે! પહેરાવી દેવા અને સ્ત્રીને પુરુષના વસ્ત્ર પહેરાવી દેવા વગેરે કાર્યો કરવા લાગ્યા. ધનદત્ત વિચાયું" કે આ મકાનમાં મેં લાખ રૂપિયા ખર્ચ્યા તે બધા નકામા ગયા. અને તેથી ચિન્તાતુર વદને તે ઘરના એટલે બેઠા હતા. પ્રિય કરે તેને તે સ્થિતિમાં જોયા અને ચિન્તાનું કારણ પૂછ્યું. ધનદત્ત ચિન્તાનુ` કારણ કહ્યું અને સાથે જણાવ્યુ કે જો તું કઇપણ ઉપાય જાણતા હાય તેા કર. કારણ કે તું ધર્મશીલ અને પરોપકારી છે. પ્રિય કરે કહ્યું-આમાં ઉપાય કરવામાં આઠ દિવસ લાગે તેમ છે પણ હમણાં તા મારે ઘણુ' કામ છે. શેઠે કહ્યું-આ કાર્ય તમારે કરવું જ પડશે કારણ કે પાપકારી પેાતાનાં કાર્ય મૂકીને પણ પારકાનાં કાર્ય કરે છે. પ્રિયંકરે આ કાર્ય કરવાનું કબૂલ્યું. ચૈત્ર માસની અદ્ભુઈ આવી લાગતાં પ્રિય કરે તે નવા મકાનમાં શ્રીપાર્શ્વનાથ સ્વામિની પ્રતિમા પધરાવી, તેમની સમક્ષ દીપક પેટાવી, નૈવેદ્ય વગેરે ધરાવી, મૌનપણે ૫૦૦ વાર ઉવસગ્ગહર સ્ટેાત્રને એકાગ્રપણે જાપ શરૂ કર્યાં. ખરાબર આઠમે દિવસે નવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy