SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અહી ચોથા ભાંગામાં રહેલાની વાત તો દૂર રહી, પહેલા ભાંગામાં રહેલા પણ ગુરુને ત્યાગ કર જોઈએ, એવા આશયવાળા ગ્રંથકાર કહે છે :– જે ગુરુ સાધુઓને અપ્રીતિ ઉત્પન્ન કરવાથી મારે શું ? = મને શું લાભ? બધાને પ્રેમ મેળવો એ જ શ્રેયઃ છે, એવા મુગ્ધપરિણામવાળે હોય, અને શિષ્યોને વસ્ત્રાપાત્રાદિ આપતો પણ હેય, છતાં અપરાધને દંડ આપવા રૂપ સારણ ન કરતા હોય, તે ગુરુ ગુરુ નથી. એથી એને ત્યાગ કરે જ જોઈએ. કારણ કે ગુરુના લક્ષણથી રહિતને સંગ કરે તે એગ્ય નથી. મુગ્ધપરિણામથી પણ જે સારણ ન કરતો હોય તે ગુરુને ત્યાગ કરવો જોઈએ, તે પછી જે મમત્વપરિણામથી સારણું ન કરતો હોય તેનું તે કહેવું જ શું? અર્થાત્ તેનો તે સુતરાં ત્યાગ કરવો જોઈએ. વ્યવહારભાષ્ય (ઉ. ૧ ગા. ૩૮૨) માં કહ્યું છે કે-જે આચાર્ય સંયમયોગોમાં સીદાતા સાધુઓની સારણ કરતા નથી તે આચાર્ય જીભથી ચાટતો હોય =મધુર વચનથી આનંદ પમાડતા હોય, વસ્ત્ર–પાત્રાદિ પૂરું પાડતે હેય, તે પણ સારા નથી. કારણ કે તે સાધુઓને પરલોકના અપાયામાં (=દુઃખમાં) પાડે છે. જે ગચ્છમાં સીદાતા સાધુઓની સારી રીતે સારણ થાય છે સંયમયેગમાં પ્રવર્તાવવામાં આવે છે, તે ગચ્છને આચાર્ય દાંડાથી પણ મારતો હોય તે એકાંતે સારો છે. કારણ કે તે સઘળાં સાંસારિક દુખેથી શિષ્યનું રક્ષણ કરે છે. [૨-૩] અથ સારામો નિહારા વિસ્ટિન રમાન સમીવી? દuત્રા – जह सरणमुवगयाणं, जीविअक्वरोवणं नरो कुणइ । एवं सारणिआणं, आयरिओऽसारओ गच्छे ॥४॥ 'जह'त्ति । यथा कोऽपि नर एकान्तेनाहितकारी शरणमुपगतानां जीवितव्यपरोपणं करोति, एवं साधूनामपि शरणमुपागतानां 'सारणीयानां' संयमयोगेषु प्रमादच्यावनेन प्रवर्तनीयानामाचार्योऽसारको गच्छे भावनीयः, सोऽपि शरणोपगतशिरःकर्त्तक इवैकान्तेनाहितकारीति भावः ॥४॥ સારણ ન કરનારે આચાર્ય જીભથી ચાટતા હોવા છતાં કેમ સારો નથી તે વિષે કહે છે – જેમ એકાંતે અહિતકારી કઈ માણસ શરણે આવેલાઓના પ્રાણનો નાશ કરે છે, એમ ગચ્છમાં શરણે આવેલા અને પ્રમાદને ત્યાગ કરાવીને સંયમમાં પ્રવર્તાવવા લાયક સાધુઓને સંયમમાં ન પ્રવર્તાવનારા આચાર્ય વિષે પણ વિચારવું. અર્થાત્ તે પણ શરણે ગયેલાઓના મસ્તક કાપનારની જેમ એકાંતે અહિતકારી X છે. [૪] * વ્ય. ઉ. ૧ ગા. ૩૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy