________________
૮૨૬ (૩) લૌકિક પર્વગત મિથ્યાત્વ
જે લોકને વિષે પ્રસિધ્ધ છે એવા લૌકિક તહેવાર જેમાં તપ-ત્યાગ સાધના કાંઈ પણ નથી માત્ર ખાનપાન અને મનરંજન જ એક માત્ર. ઉદ્દેશ્ય છે જેવાકે હોળી, બળેવ, વગેરે તહેવાર માનવા મનાવવા આ. પ્રમાણેની માન્યતા એ પર્વગત મિથ્યાત્વ કહેવાય.
ધર્માચરણના ક્ષેત્રમાં પર્વ આદિ પવિત્ર દિવસમાં કર્મક્ષય થાય તેવી આરાધના કરવી જોઈએ તે પ્રમાણે ન કરીએ અને તેનાથી વિપરીત કરીએ તો મિથ્યાત્વને દેષ લાગે છે. “માનં પુનત્ત રૂતિ પર્વ જે આત્માને પવિત્ર કરે છે તે જ પર્વ કહેવાય છે. આત્મા પવિત્ર કયારે થશે? જ્યારે અશુભ કર્મને ક્ષય થશે ત્યારે. અશુભ પાપ કર્મને ક્ષય કયારે થશે? જ્યારે વિશેષ પ્રકારે પર્વની આરાધના કરશું ત્યારે, પરંતુ લેકમાં પ્રસિદ્ધ એવા લૌકિક તહેવાર તપત્યાગની કર્મક્ષય કરનાર સાધના ન હોય, જેમાં માત્ર ખાવું, પીવું ને મનેરંજન હોય તેવા લૌકિક પર્વને માનવા એ લૌકિક પર્વગત મિથ્યાવ કહેવાય છે. (૪) કેતર દેવગત મિથ્યાત્વ :
લોકોત્તર દેવાધિદેવ-વિતરાગ, સર્વદેષ રહિત–રાગદ્વેષ રહિત, –સ્ત્રી–શસ્ત્ર વગેરે સંબંધ રહિત સર્વજ્ઞ જેવા ભગવાન ને માનીને પણ આલોકના સુખની આકાંક્ષા, બધા પ્રકારના સંસારના સુખ મળે સારી પત્ની મળે, સંતાનની પ્રાપ્તિ થાય, ધનધાન્ય–સંપત્તિ અને સત્તા–પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી આ બધું જ આપવાવાળા છે. એ દૃષ્ટિથી માનવું તથા માંગણી કરવી. અથવા એવી ઈચ્છા થી એવા વીતરાગીની બાધા-આખડી રાખવી વગેરે લોકોત્તર દેવગત મિથ્યાત્વ કહેવાશે. લોકેત્તરના ત્રણે ભેમાં માન્યતા સાચી છે. દેવગુરુ ધર્મનું સ્વરૂપ સાચું જાણે છે. પરંતુ આરાધના ઉપાસના જે હેતુથી કરે છે તે હેતુ છેટે છે. એ રીતે વિપરીત છે. જેમકે રસોઈમાં શીરો પુરી—ચા વગેરે બનાવવી છે. તમને શીરાનું સ્વરૂપ બરાબર ખબર છે પણ બનાવવાની વિધિનું જ્ઞાન સુવ્યવસ્થિત નથી અને જેમ તેમ એક કડાઈ માં લેટ–ઘી-સાકર–પાણું વગેરે ભેગા કરી દેશે તે એવી રીતે શીરો નહીં બને–તેથી રીત કે વિધી સાચા રૂપમાં નહીં જાણવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org