SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૭ બધાને સરખા માનવાં આ તેની મિશ્યાવૃત્તિ છે. સારા ખરાબ બધાને એક જ સરખા માની લીધા. કારણ કે તેને પરીક્ષા કરતાં જ નથી આવડતી બુદ્ધિ જ વધારે નથી ચાલતી તેથી કેયલ અને કાગડા ને બધાને એક સરખા જ માનવા એવી વૃત્તિ અનભિગ્રહિક મિથ્યાત્વની છે. બૌદ્ધિક કસરત કરતું નથી. એટલા માટે બધા ભગવાન એક છે, સર્વ ધર્મ એક છે. ઈત્યાદિ માનવું તેના માટે ઘણું આસાન અને સરળ છે. પરંતુ સારી રીતે વિચાર કરતા એવું લાગે છે કે અમે ઠગાઈ રહ્યા છીએ. પીળું જોઈને જે સોનું ખરીદી લઈશું તે નુકશાન આપણને જ થશે. આ ભૂલ બીજા નંબરના અનભિગ્રહિક મિથ્યાત્વી કરશે. આ વિષયમાં તમને એક પ્રશ્ન પુછું છું, કૃપા કરી છેટું ન લગાડશે. શું તમારી ધર્મપત્ની એમ કહે કે જગતમાં જેટલા પુરૂષો છે. એટલા બધા જ મારા પતિ છે. આમાં બેટું શું છે.? બધા પુરૂષો અને મારો પતિ બધા એક સરખા જ તે છે? તે બધા પુરુષોને હું પતિ માનું છું. હું ઉદાર મન વાળી છું એકની સાથે લગ્ન કરીને એકના બંધનમાં રહેવાની સંકુચિત વૃત્તિને હું સારી નથી માનતી. બધા જ મારા પતિ છે. શું આવું કહે તો તમારે ચાલશે? શું તમે માન્ય રાખશે ? શું આ વાત તમને સારી લાગશે? અથવા ઉચિત લાગશે? મેં એકાદ બે પતિ દેવોને પૂછ્યું તે તેઓ નાખુશ થઈ ગયા. એકદમ ગુસ્સામાં આવી ગયા અને કહ્યું કે મારી શ્રીમતિ બોલે તે ખરી ઉઠાવીને પછાડી દઉં', બે ચમ્પલ મારી દઉં વગેરે ગુસ્સાથી ગાળે દેવા માંડ્યાં. તો શું તમે એવું કહી શકો છો કે રાષ્ટ્રપતિ અને પટાવાળે, પ્રધાનમંત્રી અને ચોકીદાર અથવા કચરે વાળવાવાળે બધા એક જ છે. બધા એક જેવા છે, ભલે આને માને કે એને માને કેઈમાં કાંઈ ફેર પડતું નથી, તે શું આ ઉચિત કહેવાશે ? એવી જ રીતે મિથ્યાવીને પણ અસંબધ પ્રલાપ કેવી રીતે યુક્ત હે શકે? જ્યારે એક પતિવ્રતા પતની ક્યારેય પણ આવું બેલી શકતી નથી તે પછી એક ભક્ત ભગવાનના વિષયમાં આવું કેવી રીતે બોલી શકે ? હીરા અને પત્થર કે કાચના ટુકડા, મણિ અને કેડી સેનુંને પિત્તળ તથા ચાંદી અને જસત આ બધાને એક સરખા કહી અને શુ એકજ ભાવમાં કેવી રીતે વેચી શકાશે ? અથવા કેવી રીતે ખરીદી શકાશે ? નહીં ત્યાં પણ કટી ઉપર કસીને પરીક્ષા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001504
Book TitlePapni Saja Bhare Part 19
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy