________________
८०८
રડવું, રાડ પાડવી,નાસ–ભાગ કરવી ભયથી કંપવું વગેરે બધી પ્રવૃત્તિ થશે કે નહીં? પરંતુ શું એ સાચી હતી ? નહીં, તમે એક જ મીનીટમાં લાઈટ કરો હવે પ્રકાશમાં સાચુ જ્ઞાન થઈ જશે કે ના ન આ તે સર્પ નહીં પણ દેરડું છે. ભ્રમ-મિથ્યાજ્ઞાન દૂર થતાંની સાથે જ સમ્યગ જ્ઞાન થવાથી હવે ગભરાવું, બૂમ પાડવી રડવું, વગેરે કાંઈ પણ નહીં થાય. તેથી જ્ઞાન સાચું હશે તે પ્રવૃત્તિ પણ સાચી સમ્યફ થશે અન્યથા જ્ઞાન જ મિથ્યા હશે તો એની પ્રવૃત્તિ પણ મિથ્યા હશે તેથી જ સમ્યક પ્રવૃત્તિ માટે સમ્યફ જ્ઞાનની જ આવશ્યકતા છે. આમા જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાનને ખજાને છે. કેવળજ્ઞાન–કેવળદર્શન પણ આત્મામાં જ પડેલા છે. પરંતુ રાગ-દ્વેષાદિની પ્રવૃત્તિથી એ જ્ઞાન– દર્શન ચારિત્ર વગેરે ગુણે પર આવરણ આવી ગયું છે એ જે કર્મનું આવરણ એ જ આમાને આંતર શત્રુ છે. આમગુણોને ઘાતક છે. આ કર્મોમાં મિથ્યાત્વ પણ એક કમ પ્રકૃતિ છે. જે અષ્ટકમના મેહનીચ ઘાતી કર્મના પેટા ભેદ દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય તેના દર્શન મેહનીયના ત્રણ ભેદ મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને સમ્યકૃત્વ મેહનીયના રૂપે ઓળખાય છે. જેમકે એક વ્યક્તિએ દારૂ પીધે હોય અને એના નશામાં તે જેમ ફાવે તેમ વિપરીત બોલતો હોય જેમ તેમ વર્તન કરતા હોય એનો બધોજ વિવેક નષ્ટ થઈ ગયું હોય છે. એને મા ને પત્ની, પત્નીને મા, બેનને દીકરી અને દીકરીને બહેન, ભાભીને પત્નિ, પતિનને ભાભી એ પ્રમાણે અસંબદધ જેમ તેમ વિપરીત રીતે બોલતા હોય છે અને તેવો વ્યવહાર-વર્તન-ચેષ્ટા કરતો હોય છે. એ જ પ્રમાણે મિથ્યાવી પણ - દારૂના નશામાં ભાન ગુમાવી બેઠો હોય તેના જેવો છે. આ મિથ્યાત્વ
જ્યાં જ્યાં પણ છે. આને નશે જેને પણ છે તે તે બધાને જે મારું નથી, તેને મારું માની બેસે છે. જે ભગવાન નથી તેને ભગવાન કહેશે અને જે વીતરાગી અરિહંત સર્વજ્ઞ ભગવાનના રૂપમાં છે અને ભગવાન નહીં માને, અને રાગી–ષીને ભગવાન માનશે. એજ પ્રમાણે કંચન કામિનીના ત્યાગી તથા પંચમહાવ્રત યુક્ત ત્યાગી તપસ્વીને ગુરૂ ન માનતાં એનાથી વિપરીતને ગુરૂ માનશે, અને સર્વજ્ઞ કથિત શુધ્ધ મેક્ષ માર્ગને ધર્મ ન માનતા પાપ પ્રવૃત્તિને પણ ધર્મ માનશે - વગેરે યથાર્થ—વાસ્તવિકતામાં સત્ય સ્વરૂપ ન માનતાં વિપરીતમાં સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org