________________
૬૧૧
મેહ હતો તે જાગૃત થયે. અરે ! મારા છોકરાઓને મારનાર આ શિક્ષક કોણ છે? છોકરાઓને કહ્યું-ઘેર બેસી જાઓ, કાલથી સ્કૂલે ના જશે. આ રીતે કહીને છોકરાઓના ઘણા પુસ્તક લઈને સળગતી એવી સગડીમાં નાખી દીધા. બાળી નાંખ્યા. સાંજે પતિ ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડી તે પતિનને ચીડાયાપતિ – અરે! તે આ શું કર્યું? આવું શા માટે કર્યું? પત્ની – આવું ન કરું તે શું કરું? મારા છોકરાઓને મારનાર તે
મેટો કેણ છે ? તેને શું અધિકાર છે? પતિ – અરે ! તોફાન કરતાં હશે તે માર્યા હશે. એમાં શું થઈ ગયું?
તે જ છોકરાઓ સુધરશે. પત્ની – ના, આવું ન ચાલે. મારા છોકરાઓ કાલથી સ્કૂલે નહીં
જાય. તમે જ ઘરમાં ભણાવજે. પતિ – અરે! તો પછી હું કામ-ધંધા પર કેવી રીતે જઈશ? કયારે
જઈશ? બધું કેવી રીતે કરીશ? પની – જેવી રીતે કરવું હોય તેવી રીતે કરજે. પરંતુ છોકરાઓને
તે કાલથી સ્કૂલે નહીં જ એકલું. પતિ – તો પછી છોકરીઓ ભણ્યા વગરના મૂખ રહેશે. મેટા થશે
ત્યારે તેમની સાથે લગ્ન કોણ કરશે?
ભણાવ્યા વગર છોકરાઓને આવા અભણુ જ રાખ્યા અને
મેટા થતાં લગ્નને સમય આવ્યે.] પતિ – હવે તું લગ્ન કર. કોણ કન્યા આપશે? મૂર્ખ છોકરાઓની
સાથે કેણ, લગ્ન કરશે? પત્ની – તો એમાં મારે શું દોષ છે? તમે શા માટે ન ભણાવ્યા? પતિ – અરે પાપિ!! પાપ તારું અને મને શા માટે કહે છે? તે
જ ભણવા ન દીધા. પત્ની – પાપી–પાપી–તારે બાપ! મને શું કહે છે? (આગથી લાલાળ
થઈને પત્ની ગુસ્સામાં ગાળો બોલવા લાગી) ક્રોધથી કલહથી આગમાં ઘી પડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org