SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૧ જાય છે અને લોકો તમારા તપની પણ નિંદા કરશે, ધર્મની હાંસી ઉડાવશે. સાધુ-સાધ્વીની અપ્રતિષ્ઠા થશે અને લોકે ધર્મથી વિમુખ બની જશે. તેથી કેઈને પણ ધર્મના માર્ગે ચડાવવા હોય, કેઈને ધમી બનાવવા હશે તો પણ આપણે કલેશ-કલહથી દૂર રહેવું જોઈએ. કદાચ આપણે કોઈને ધર્મના માર્ગે ન ચઢાવી શકીએ તે કંઈ નહીં પરંતુ કોઈને અધર્મનું નિમિત્ત તો ન જ આપીએ. પોતાની સમતા અને સહનશીલતાના કારણે પણ કેટલાક ધર્મને પામશે. બીજાને અધર્મ નું નિમિત્ત આપવથી આપણે પોતે દુર્લભબોધી બનીએ છીએ. કલહ-કલેશને દૂર કરવા માટે શું કરીએ ? કલહના વિષયમાં આટલું જાણ્યા પછી તેની દવા પણ જાણી લઈ એ તે લાભ થાય સંસાર તો કલેશ કષાયથી ભરેલો પડયો છે. આપણે તેમાંથી આપણી જાતને બચાવી લઈએ તે પણ ઘણું સારું છે. કલહથી બચવાને શ્રેષ્ઠ ઉપાય છે વૃત્તિ અને પ્રવૃત્તિનું મૌન એટલે સંકલ્પ વિકલ્પને બંધ કરવા જોઈએ અને વાણીથી મૌન સેવવું જોઈએ? ખબર પડે કે અહીં કલહ થઈ રહ્યો છે વધી રહ્યો છે. હમણાં જ શરૂ થવાની તૈયારી છે તે તરત જ મૌનને આશ્રય લે જોઈએ. મૌનની પ્રતિજ્ઞા જ કરી લેવી જોઈએ અને બોલ્યા સિવાય ન રહેવાય તે છેવટે શેડે કાલ ક્ષેપ કરવો જોઈએ ૨ મિનીટ પણ ક્રોધમાં વિલંબ થાય છે તે તેનું ૫૦ ટકા જોર ઓછું થઈ જતું હોય છે. એટલે કલહ કાળે સમય પસાર કરવા બહાર નીકળી જવું જોઈએ. તે બે કલાક સાધુ સંતોને સમા ગમ કરી આવે જેથી એક વાતાવરણ જ બદલાઈ જાય ન બોલવામાં નવ ગુણ છે. લાભ જ છે. સાસુ-વહુના દરરેજના ચાલતા ઝઘડાના કારણે દુઃખી થયેલી વહુ સાધુ મહારાજને ઉપાય પૂછે છે. સાધુએ પાસે રહેલા એક સફેદ ગેળ પત્થર ઉપર વાસક્ષેપ નાખીને વહુને આપે અને કહ્યું કે જે આ મંત્રિત પત્થર છે જ્યારે પણ સાસુ બોલે ત્યારે તારે આ પત્થરને છાનેમાને મોઢામાં મૂકી દેવાને અને એના પ્રભાવથી તમારો હંમેશને માટે ઝઘડો મટી જશે. વહુએ જઈને તે પ્રમાણે કર્યું. બેલતી સાસુની સામે જ ઘુંઘટમાં છાની રીતે પથર મેંમાં મૂકી દીધે એને પ્રભાવ એ પડયે કે વહુ સાસુની સામે એક અક્ષર પણ બોલી ના શકી. આથી ઝઘડે આગળ વધ્યો જ નહી એને. અંત ઝડપથી આવી ગયા. ૪-૬ દિવસ સુધી સતત આ પ્રયોગ ચાલ્યો. સાસુએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001500
Book TitlePapni Saja Bhare Part 15
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy