SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૭ ગુણસેને અગ્નિશમની ઘણી મશ્કરી કરી. છેવટે થાકીને ખિન્ન થઈને અગ્નિશર્મા ઘર-પરિવાર બધું છોડીને જંગલમાં ચાલ્યો ગયો. તાપસના આશ્રમમાં સંન્યાસી કુલગુરૂની પાસે તાપસી દીક્ષા લઈને માસક્ષમણ. (મહિનાના સળંગ ઉપવાસ) ને પારણે માસક્ષમણ કરવા લાગ્યો. રાજા બનેલા ગુણસેને ત્રણ વાર પારણા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું. પરંતુ સંયોગવશ પારણું કરાવી ન શકે અને તેથી તાપસ અગ્નિશર્માને પિતાનું અપમાન થયું જાણી અત્યંત ક્રાધે ચઢ. વધતી જતી ક્રોધની બળતી જવાલાઓમાં તેણે દ્વેષનું નિયાણું બાંધ્યું કે, “ આ ગુણસેનને ભાભવ મારનારે હું બનું. “ક્રેધમાં જ વર-વૈમનસ્યના બીજ પડયા છે. આ ક્રોધના બીજથી શ્રેષનું વૃક્ષ ઉપન થાય છે અને તેમ જ થયું. તાપસ વરના નિયાણામાં મરીને વ્યંતર નિકાયને દેવ બચે. ગુણસેન દીક્ષા લેવાનો નિશ્ચય કરીને રાત્રીમાં બેઠો હતો, ત્યાં જ વ્યંતરે ઉપદ્રવ કર્યો અને તેને મારી નાંખ્યા. ગુઘુસેન શુભભાવની ધારામાં મરીને દેવગતિમાં દેવ બન્યા. બીજા ભવમાં આ બંને પિતા-પુત્રને સંબંધ લઈને ફરી આ પૃથ્વી પર અવતર્યા. ગુણસેનનો જીવ સિંહકુમાર પિતાના રૂપમાં અને અગ્નિશર્મા તાપસને જીવ પુત્ર આનંદના રૂપમાં જન્મ લે છે. વૈરી પુત્રે રાજ્ય લેવાના લેભમાં રાજાને કેદી બનાવીને મારી નાંખ્યા. દીક્ષા લેવાના શુભ ભાવમાં મરીને પિતા દેવલોકમાં દેવ બન્યા. જ્યારે વેરી પુત્ર મરીને પિતૃહત્યાના પાપે પ્રથમ નરકમાં ગયે. ત્રીજા ભવે વળી આ બંને જ માતા-પુત્રના સંબંધમાં આવ્યા. અગ્નિશમને જીવ માતા જાલિનિ રૂપે જન્મ લે છે અને ગુણસેનને જીવ જીવ એની જ કુક્ષીથી જન્મ લેવાવાળા પુત્ર રૂપે શિખિકુમાર બને છે. માતાએ જન્મતાંની સાથે જ બાળકને મારવાના ઘણા ઉપાયે સેવ્યા. પરંતુ પિતાએ રક્ષણ કર્યું. ઘરથી બહિષ્કૃત કરાયેલે તે પુત્ર સાધુસંતેની પાસે જઈને ચારિત્ર અંગીકાર કરી પિતાની સાધના કરી રહ્યો છે. તેટલામાં માતાએ માયા, કપટથી વિષમિશ્રિત આહારની ગોચરી આપીને મારી નંખાવ્યો, સમતાભાવમાં શિખિમુનિ કાળ ધર્મ પામ્યા અને દેવગતિમાં મહદ્ધક દેવ બન્યા. ચોથા ભાવમાં કર્મ રૂપી નાટક ભજવવા માટે તે બંને આ પૃથ્વી રૂપી સ્ટેજ ઉપર ધન અને ધનશ્રી નામના પતિ-પત્ની રૂપે ફરી આવ્યા. ધનકુમારે દીક્ષા લીધી અને તેઓ ધન મુનિ બન્યા. પરંતુ વરી ધનશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001499
Book TitlePapni Saja Bhare Part 14
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy