SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ સ્વભાવી જીવ પર લાખે ને વિશ્વાસ રાખે છે. એક માયાવી હજારે લોકે પર વિશ્વાસ રાખશે નહિ. જો તમે એમ માને છે કે હું હજારો લોકેને ઠગું પણ મને કંઈ ન ઠગે. એમ કદી બને નહિ. માયાવી ગમે તેટલે ચતુર હોય તે ભલે તે રોજ અન્યને ઠગતો હોય તે પણ એક દિવસ તેને કઈ ઠગી જશે. માયાવી પણ અન્યની માયાને ભેગ બને છે. માટે આજથી સરલ સ્વભાવ બનાવે તે શ્રેયસ્કર છે. અમે ધારો તે તમારે સ્વભાવ કેળવી શકે છે. બાળકને બાળપણથી માયા કપટ વૃત્તિથી પાછો વાળવાને પ્રયત્ન કરવામાં આવે છે તે અવશ્ય સુધરી શકે છે. સરળતા અન્ય હજાર ગુણને આકર્ષિત કરે છે. એ જ ધર્મ છે. તેનાં ધર્મની પાત્રતા છે. તે જ આમા માટે કલ્યાણકારક છે. માયા નિતાંત દુઃખદાયી છે. કર્મ બંધન કરવાવાળી છે. સ્વયં પાપથાનક છે. માયા હજાર પાપનું મૂળ છે. તેથી ત્યાજય છે. માયાને ત્યાગ ઘણા કપરો છે ક્રોધ કે માનને ત્યાગ કરવો સહેલે છે પણ માયાને ત્યાગ કર દેહિલે છે. સ્ત્રીઓ માયાવૃત્તિને ત્યાગ કરી શક્તી નથી તેવું પ્રાયઃ વિધાન છે. એકાંતે તેમ નથી. દીક્ષા લેવા છતાં પણ કઈવાર માયાને ત્યાગ થઈ શકતું નથી. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે નગ્ન રહેવું સહેલું છે. માસક્ષમ કરવું સહેલું છે. લેચ કરે બ્રહ્મચર્ય પાળવું સહેલું છે પણ માયા કે માયાવી વૃત્તિને સર્વથા ત્યાગ કરે મુશ્કેલ છે. મનથી માયાવી વૃત્તિને વિચાર ન કરે, વચનચિંગથી માયાયુક્ત ભાષા ન બેલવી, ઘણું મુશ્કેલ છે. નવમાં અનિવૃત્તિ આદર ગુણસ્થાનક પર પહોંચ્યા પછી માયા આત્યંતિક દૂર થાય છે. છતાં પુરુષાર્થ કરવાથી તેને પરિહાર શકય છે. આજે ભલે સર્વથા નાશ ન થાય પણ અંશે તેને ત્યાગ કરી જરૂરી છે. માયા કેવી રીતે દૂર કરવી ? ઘરમાં પડેલા ચોરને લાકડી મારીને દૂર કરી શકાય પણ માયાને દંડો મારીને કેવી રીતે દૂર કરવી? ઘરમાંથી અંધકારને દૂર કરવા લાકડી મારવી પડતી નથી પણ ઘરમાં નાને દીપક પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે તેમ આજથી પ્રતિજ્ઞા કરે કે અમે જીવનમાં કદાપિ માયા કપટ કરીશું નહિ. દરેકની સાથે સરળતાથી વ્યવહાર કરીશું. સ્વભાવમાં સરળતા રાખીશું. પેટમાં પાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001496
Book TitlePapni Saja Bhare Part 11
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy