SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ આગળ વધી રહ્યા હતા, ત્યારે નીચેથી નજર પડતાં ભરતજીએ વિચાર્યું અરે ! કઈ દુશ્મન દુષ્ટ રાક્ષસ જતો લાગે છે! એમ સમજીને તેમણે તીર છોડયું. તીર હનુમાનજીને લાગતાં જ તે નીચે પડયા. પડતાં પડતાં મુખમાંથી રામ-રામ શબદ નીકળી પડ્યા. તે સાંભળીને ભરતજી દેડતાં આવ્યા. તરત જ તીર કાઢીને સંજીવની લગાડીને ઘા રૂઝવી દીધું અને હનુમાનજીની ક્ષમા માંગવા લાગ્યા. “ઓહ મારા ભાઈ રામચંદ્રજીના પરમભક્ત હનુમાનજી! મારે અપરાધ ભૂલી જાવ. મને ક્ષમા કરે. મને ખબર નહોતી કે તમે છે અને મેં તીર છેડી દીધું કૃપા કરીને ક્ષમા કરજે.” એટલામાં હનુમાનજીએ ઊભા થઈને ભરતજીના ચરણોમાં પડીને ક્ષમા માગવા માંડી. ભરતજી ! આપ મને માફ કરે. ના, ના તમારે કોઈ અપરાધ નથી. હું તમારું તીર લાગવાથી નીચે નથી પડશે. હું તે મારા અભિમાનથી નીચે પડો છું. એમાં તમારો ડેઈ અપરાધ નથી. તમારે મારી ક્ષમા માગવાની જરૂર નથી. વાત તે એમ છે કે જ્યારે હું આકાશ માગે પસાર થઈ રહયે હતું ત્યારે મારા મનમાં એ અહંકાર જાગ્રત થયે કે વાહ! કેવી મારી શક્તિ! કઈ પહાડને ઉચકી ન શકે આજે મે આખાને આખે પહાડ ઉઠાવી લીધું છે. મારામાં કેટલી બધી શક્તિ છે? આ અભિમાનભર્યો વિચાર કરવાને પરિણામે હું નીચે પટકાયો છું. આ તે મને મારા અભિમાન કરવાને કારણે દંડ મળ્યો છે. મેં મારી શક્તિ .... એ વિચાર કેમ કર્યો? આ ભગવાન રામની કૃપા છે એમ કેમ ન વિચાર્યું? રામની કૃપા . એમ વિચારવામાં બોલવામાં નમ્રતા રહે છે, વિનમ્રભાવ વિનયગુણ સ્પષ્ટપણે દેખાય છે. પરન્ત એમ ન વિચારતાં મેં અભિમાનમાં તણાઈ જઈને મારી શક્તિ એમ વિચાર્યું શાસ્ત્રમાં લખ્યું જ છે કે અભિમાની કેઈથી નથી હારતો કે નથી સમજાતે પણ પોતાના જ અભિમાનથી નીચે પડે છે, દુઃખી થાય છે. એમાં કઈ સંદેહ નથી. શાસ્ત્રના વચનને ધ્યાનમાં રાખીને મેં અભિમાન ન કર્યું હોત, તો મારુ પતન ન થાત. પરંતુ અભિમાને મને પછાડયે. આ દષ્ટાંત ઉપરથી બેધ લેવો જોઈએ કે અભિમાન કરવાથી પતન થાય છે માટે એનાથી બચવામાં જ લાભ છે. માનની ઉપત્તિમાં સહાયક – નિમિત્ત કારણ સૌભાગ્યવશ, પુણ્યોગને કારણે મનુષ્યને જે કંઈ ઉત્તમ વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001495
Book TitlePapni Saja Bhare Part 10
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy