SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ ક્રોધના ચાર ભેદનું સ્વરૂપ : स्युः कषायाः क्रोध-मान-माया-लोभाः शरीरीणाम् । चतुर्विधास्ते प्रत्येकं, भेदैः संज्वलनादिभिः ॥ पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् ।। अप्रत्याख्यानको वर्ष जन्मानन्तानुबन्धकः ॥ સિરા-ચરિ-શ્રાદ્ધ- ષ્ટિત્ર ઘાતજાઃ | ते देवत्व-मनुष्यत्व-तिर्यक्त्व-नरकप्रदाः॥ અનંતાનુબંધી ક્રોધઃ જેને જદી અંત નથી એ ક્રોધ તે અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે. તે આજીવન રહે છે અને પછી જન્મ-જન્માક્તરામાં પણ રહે છે. અનંતાનુબંધી કર્મ બાંધવાવાળો કષાય મિથ્યાત્વ સાથે હેવાના કારણે અનંત ભ સુધી પરંપરા ચાલે છે. કેઈપણ નિમિત્તથી એકવાર ક્રોધ કષાય ઉત્પન્ન થયો અને પછી અટકો જ નહી તે જન્મ સુધી રહેઅને વૈરની પરંપરા ઊભી કરીને પછીના જન્મમાં પણ સાથે આવે તે તે અનંતાનુબંધી ક્રોધ કષાય કહેવાય છે. તેના ફળરૂપે નરકગતિ મળે. છે. આ સમ્યકત્વ ગુણને ઘાત કરનાર છે. અવરોધક છે. જ્યાં સુધી આ અનંતાનુબંધી ક્રોધ આત્મામાં સત્તામાં પડયે હોય ત્યાં સુધી દેવગુરૂ-ધર્મ-તત્વ પર શ્રદ્ધા નથી થતી, સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય. આવા કષાયને માટે કે જે પ્રતિક્રમણ નથી. આવા કષાયવાળો માણસ કયારેય ક્ષમા નથી માંગત. દ્રષ્ટાન્ત ચિત્રમાં તેની ઉપમા બતાવી છે કે પર્વતની વચ્ચે તડ પડી જાય તેવું છે. કેઈ ભૂકંપના કારણે પર્વતમાં પડેલી તડ-રેખા, કયારેય, હજારો વર્ષો પછી પણ પુરાતી નથી. એ આ અનંતાનુબંધી ક્રોધ કષાય છે, જે જિંદગી સુધી ક્ષમા નથી માંગતા. એકરૂપે નથી થતું અને પછીના જન્મમાં પણ વેરની પરંપરા ચાલે છે. જેમ કે કમઠ, અગ્નિશમને ક્રોધ આ પ્રકારને હતે. (૨) અપ્રત્યાખ્યાનય : એક વર્ષ સુધી રહેવાવાળા ક્રોધને અપ્રત્યાખ્યાનીય ક્રોધ કહેવાય છે. આ પણ સારે નથી. છતાં પણ તેની એક વર્ષની મર્યાદા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001494
Book TitlePapni Saja Bhare Part 09
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy