SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ મૃષાવાદના ૨ ભેદ સૂક્ષ્મ અને સ્થળ : दुविहा अ मुसावाओ, सुहुमो थूलो अतत्थ इह सुहुमो । - परिहासाइप्पभवा, थूलो पुण तीव्वस केसा ॥ જે કથન હાસ્યાદિથી બલવામાં આવતાં હોય, અને નાની નાની મજાક મશ્કરીમાં જે અસત્ય બોલવામાં આવતું હોય તેને સૂમ મૃષાવાદ કહેવામાં આવે છે. જે અસત્ય તીવ્ર સંકલેશ કે દુષ્ટ અયવસાયથી બલવામાં આવતું હોય તેને સ્થૂળ મૃષાવાદ કહેવામાં આવે છે. સ્થૂળ એટલે મેટું જૂઠ. સાધુ મૃષાવાદ વિરમણનું મહાવ્રત લે છે. તેને માટે તે ધૂળ કે સૂક્ષમ બન્ને પ્રકારના મૃષાવાદ આજીવન સર્વથા ત્યાજય છે. પ્રાણાંત કષ્ટ આવે તે પણ સાધુ પુરુષે તે આ મહાવ્રતને ભંગ કરવાને હોતો નથી. શાસ્ત્રમાં વાત આવે છે કે દત્તરાજાએ આચાર્ય કાલકારિને મૃત્યુની ધમકી આપી તે પણ તેમણે અસત્ય કથન ન કર્યું. સ્થળ મૃષાવાદ ત્યાગી શ્રાવક- શ્રાવક મહાવ્રતધારી નથી પણ દેશવિરતિધર અણુવ્રતી છે. સંસારી ગૃહસ્થ છે તેથી તે સૂકમ મૃષાવાદને સર્વથા ત્યાગ કરી શકતા નથી. પણ તે સ્થૂળ મૃષાવાદનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકે છે. આવશ્યક ચૂર્ણ કાર કહે છે કે જે વચન બોલવાથી પિતાને કે બીજાને વ્યાઘાત થાય અથવા અત્યંતની સંકેલશ થાય એવું વચન સકારણ કે નિષ્કારણ પણ બોલવું ન જોઈએ. શ્રાવક આટલી મર્યાદા તે સ્વીકારી શકે છે. રજૂળ મૃષાવાદના ૫ પ્રકારે કન્યાલીક ગાલીક ભૂખ્યલીક ન્યાસાપહાર કૂટસાક્ષી (૧) કન્યાલીક : પિતાની કે બીજાની કન્યા વિષે અસત્ય બોલવું–જેમકે સારી છે, ખોટી છે વગેરે સુશીલને કુશીલ કહેવી, સાજીને માંદી કહેવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001490
Book TitlePapni Saja Bhare Part 05
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy